હાલમાં જ રિલીઝ થયેલી વૅબ સિરીઝ મિરઝાપુર-2નો જાદુ દરેકના મન પર ચડી ગયો છે. મિરઝાપુર બાદ તેના પાત્રોને લોકો અસલ નામથી નહી પરંતુ મિરઝાપુરના નામથી જ ઓળખવા લાગ્યા છે. સિરીઝના મુખ્ય પાત્ર કાલિન ભૈયા, મુન્ના ત્રિપાઠી, ગુડ્ડુ અને ગોલુએ પહેલી સિરીઝમાં ધમાલ મચાવી હતી પરંતુ બીજી સિરીઝમાં તેમનો ક્રેઝ અલગ જ રીતનો જોવા મળી રહ્યો છે.
અલી ફઝલને ગુડ્ડુનો રોલ નહોતો મળ્યો
અલીએ બીજો રોલ સ્વિકારવાનો કર્યો હતો ઇન્કાર
જુઠ્ઠુ બોલીને અલી ફઝલે કહી હતી શૉને ના
સિરીઝમાં ગુડ્ડુ ભૈયાના લોકો દિવાના થઇ ગયા છે પરંતુ શું તમને ખબર છે કે અલી ફઝલને કોઇ બીજુ પાત્ર ઑફર કરવામાં આવ્યું હતું, જે બાદ અલીએ શૉ કરવાની ના પાડી દીધી હતી.
એક ઇન્ટરવ્યૂમાં અલીએ જણાવ્યું કે, સિરીઝની વાર્તામાં મને કોઇ બીજો રોલ ઓફર કરવામાં આવ્યો હતો જે કદાચ મુન્નાના પાત્રનો હતો પરંતુ મને ગુડ્ડુનુ કેરેક્ટર વધારે ગમ્યુ હતુ. ગુડ્ડુના કેરેક્ટરમાં હું ઘૂસી ગયો હતો અને મને લાગી રહ્યું હતુ કે ગુડ્ડુના પાત્રમાં હું વધારે સારુ કરી શકુ છું. જેથી મે મેકર્સને કહ્યું કે મારી પાસે ડેટ્સ નથી.
અલીએ વધુમાં જણાવ્યું હતુ કે, મને તેવા પાત્રો પસંદ આવે છે જે મારા માટે અનપ્રિડિક્ટેબલ હોય, જો હું સંપૂર્ણ વાર્તાને પહેલાથી જ જાણી લઇશ તો તેમાં કોઇ મજા નહી રહે. કોઇ ટીમ વર્ક નહી રહે કારણકે અહીં હું એકલો માણસ નથી, માટે મેં બહાનુ બનાવી દીધુ હતુ કે મારી પાસે તારીખો નથી અને કોઇ બીજુ કામ આવી ગયુ છે. બાદમાં મેં શૉ છોડી દીધો હતો પરંતુ તેમનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તે વધુ એક પ્રયત્ન કરવા માગે છે.
તે બાદ તો જે જાદુ થયો છે તેને આપણે સૌ જાણીએ જ છીએ. મિરઝાપુરમાં ગુડ્ડુ ભૈયાએ પોતાના પાત્રમાં જાન રેડી દીધી છે. પહેલી સિઝનમાં તેમનો રોમાન્ટિક અને જનૂની અંદાજ દેખાયો અને મિરઝાપુર-2માં તેમના પાત્રની એક્સટ્રીમ હદ પણ જોઇ લીધી છે. શૉમાં તેમના કેરેક્ટરને ખુબ જ વખાણવામાં આવ્યું છે.