જો આપનું એકાઉન્ટ ભારતીય સ્ટેટ બેંક (SBI)માં છે અને આપ જો પેન્શનધારી છો તો આપનાં માટે આ એક ખાસ મહત્વનાં સમાચાર છે. બેંકે પોતાનાં પેન્શનધારકોને સૂચિત કરીને જણાવ્યું છે કે તેઓએ 30 નવેમ્બર પહેલા પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. જેથી તેઓનું પેન્શનનું ખાતુ બંધ ના થઇ જાય. જીવન પ્રમાણપત્ર જમા નહીં કરી શકાતા તેઓનાં ખાતામાં પેન્શનનાં રૂપિયા જમા નહીં થાય.
આ પ્રકારે જમા કરાવી શકો છોઃ
બેંકે કહ્યું કે પેન્શન ખાતાધારક પોતાનાં જીવન પ્રમાણપત્રને બે રીતે જમા કરાવી શકે છે. પહેલી રીત એ છે કે બેંકની શાખામાં જઇને આને આપ જમા કરાવી શકો છો અને બીજો આઇડીયા એ છે કે નેટવર્કિંગનાં આધારે આપ ઓનલાઇન અપલોડ પણ કરી શકો છો. પ્રત્યેક પેન્શનધારકને માટે બેંક પોતાનાં જીવન પ્રમાણપત્રને જમા કરાવવાનું જરૂરી હોય છે. ત્યાર બાદ તેઓનાં ખાતામાં વર્ષ દરમ્યાન પેન્શનનાં રૂપિયા જમા થતા રહે છે.
આ રીતે બનશે તમારું જીવનપત્રઃ
હવે કોઇ પણ પેન્શનધારક બિલકુલ સરળતાથી જ ઘરે બેઠા પોતાનાં જીવનપત્રને બનાવી શકે છે. કેન્દ્ર સરકારે આધાર નંબરને આધારે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવા માટે એક વેબસાઇટને પણ શરૂ કરી છે. jeevanpramaan.gov.inને આધારે આવું કરવામાં આવે છે.
ઓનલાઇન સર્ટિફિકેટની ડિટેઇલ પેન્શનધારકનાં મોબાઇલ નંબર પર એસએમએસને આધારે મોકલી દેવામાં આવે છે. આ સિવાય જીવન પ્રમાણ સર્ટિફિકેટ પણ આપ બિલકુલ સરળતાથી જ પોતાનાં બેંક ખાતા તેમજ કોમન સર્વિસ સેન્ટર અથવા તો પછી કોઇ પણ સરકારી કાર્યાલય દ્વારા પણ મેળવી શકો છો.