અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ વચ્ચે શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધાબડીયું વાતાવરણ સર્જાયું હતું.10 મી સુધીમાં માવઠું.
પૂર્વાનુમાન પ્રમાણે વાતાવરણમાં પલટો
સૌરાષ્ટ્ર -દક્ષીણ ગુજરાતમાં માવઠાની વકી
આગામી ચાર દિવસમાં થી શકે છે માવઠું
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.આજથી 5 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તથા સુરતમાં 7 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ વચ્ચે શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધાબડીયું વાતાવરણ સર્જાયું હતું. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી.
સવારથી જ વાતાવરણ ધાબડીયું
મોસમ વિભાગની આ સંભાવનાઓ વચ્ચે શનિવારે સવારથી જ રાજ્યના વાતાવરણમાં આચંક પલટો જોવા મળ્યો હતો. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની શક્યતા નહિવત્ છે. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં APMC સહિતની જગ્યાઓમાં ખુલામાં જો અનાજ રાખવામાં આવ્યું હોય તો,તાત્કાલિક અસરથી યોગ્ય વ્યવસ્થા કરવા માટે સુચવાયું છે.અન્યથા,માવઠાની સ્થિતિએ અનાજ પલળી-સદી જવાની પણ શક્યતાઓ જણાવાઈ છે.
માવઠાની ઉભા પાક પર અસર
તૌક્તે વાવાઝોડા પછી મે મહિનાની કેરી આંબા પરથી બિલકુલ તહસ-નહસ થી જતા ખેડૂતોએ માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો હતો.ત્યાર બાદ સૌરાષ્ટ્રના ત્રણ-ચાર જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેડૂતોએ નુકસાન વેઠવું પડ્યું હતું.હવે શિયાળુ પાક પહેલા જ મોસમમાં ફરી બદલાવ આવતા ખેડૂતોની સ્થિતિ માઠી થશે. મોંઘા ભાવના ખાતર-બિયારણ બાદ શિયાળુ પાક લૂમ્બે-ઝૂંબે ઉતરે તેવી અપેક્ષા સેવતા ખેડૂતો પર અત્યારે માવઠું મંડરાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં પડી ગયા છે.