જો તમારા ઘરમાં કોઇ પેન્શનધારક છે તો 30 નવેમ્બર પહેલા તેમના જીવિત થવાનું પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) બેંકમાં જમા કરાવી દેજો. આમ ના કરવા પર તેમની પેન્શન રોકી દેવામાં આવી શકે છે.
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપી. જાણકારી આપતા બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, પેન્શનધારકો 30 નવેમ્બર સુધી પોતાનું જીવિત હોવાનું પ્રમાણ પત્ર જમા કરાવી દે. તમને જણાવી દઇએ કે, સ્ટેટ બેંક પાસે હાલમાં સૌથી વધારે પેન્શન એકાઉન્ટ ( લગભગ 36 લાખ) અને 14 સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસિંગ સેલ છે.
Complete your Life Certificate submission before 30th November, 2019 to ensure that your pension payments would continue.The certificate can also be submitted in person at SBI Branch or digitally at an Aadhaar outlet near you.
To know more, visit: https://t.co/XtubecH6Gjpic.twitter.com/407Sv7ylMg
- સ્ટેટ બેંકની ઑફિશ્યલ વેબસાઇટ અનુસાર, પેન્શનર કોઇપણ બ્રાન્ચમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે.
- આ માટે જો તેઓ જાતે ન આવી શકતા હોય તો કોઈ અધિકૃત વ્યક્તિને બેંકમાં મોકલી શકે છે. બેંક અધિકારી લાઇફ સર્ટિફિકેટની રસીદ સ્વીકારશે.
- સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસના મેમોરેન્ડમ મુજબ, જે પેન્શનર્સ બેંકમાં જઈ શકતા નથી તેઓ મેજિસ્ટ્રેટ અથવા ગેઝેટેડ અધિકારીની સાઇન કરાવીને પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જો પેન્શન બેંકમાં આવી રહ્યું હોય તો બેંક મેનેજર પણ તેને સર્ટિફાય કરી શકે છે.
જો લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવ્યું તો?
બેંકમાં લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવ્યું તો ટ્રેઝરી તમારું પેન્શન રિલીઝ નહીં કરે. તેથી, તમામ બેંકો તેમના તમામ પેન્શન એકાઉન્ડ હોલ્ડર્સને નવેમ્બરના અંત સુધીમાં તેમનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાનું કહે છે. જો સર્ટિફિકેટ સબમિટ કરવામાં ન આવ્યું તો પેન્શનર્સ એકાઉન્ટમાંથી તેમનું પેન્શન ઉપાડી નહીં શકે.