ગુજરાતમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોનને લઈને અમદાવાદ એરપોર્ટ પર તંત્ર એલર્ટ બન્યું છે.
ઓમિક્રોન વેરિએન્ટ સામે તંત્ર થયુ એલર્ટ
અમદાવાદ એરપોર્ટ પર તંત્ર એલર્ટ મોડ પર
મુસાફરો માટે નિયમ તો ક્રુ મેમ્બર માટે કેમ નહી?
ગુજરાતમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોનને લઈને અમદાવાદ એરપોર્ટ પર તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યમાં જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ફેસ્ટિવલ યોજાનાર છે ત્યારે હવે વિદેશથી ગુજરાતમાં આવનાર પ્રવાસીઓ પર ખાસ નજર રાખવામાં આવનાર છે. કોવિડ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા અને ટેસ્ટ કરવામાં આવનાર છે. અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ મુસાફરો એરપોર્ટ છોડી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વનું છે કે હાઈ રિસ્કવાળા દેશોમાંથી 14 ફ્લાઈટમાં પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર આવનાર છે ત્યારે તંત્રએ તમામ પેસેન્જરો પર નજર રાખવા ચાપતો બંદોબસ્ત કર્યો છે.
મુસાફરો માટે નિયમ તો ક્રુ મેમ્બર માટે કેમ નહી?
આ તરફ ઓમિવેન્ટ વેરિએન્ટને લઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટના ક્રુ મેમ્બરના ટેસ્ટ ન કરાતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને તંત્રની બેદરકારી અને ગંભીરતા ન દેખાતા ઉડીને આંખે વડગી રહી છે. એક તરફ રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે તંત્ર ઉદાસીન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ક્રુ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ ન થતો હોવાનું સામે આવતા સવાલ ઉઠી રહ્યા છે કે મુસાફરો માટે નિયમ છે તો ક્રુ મેમ્બર માટે કેમ નહીં, કેમ કે ક્રુ મેમ્બર્સ મુસાફરોના સીધા સંપર્કમાં આવતા હોય છે જેને લીધે કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જતો હોય છે આમ એક તરફ તંત્ર દ્વારા એરપોર્ટ પર કોરોના ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે જ્યારે ક્રુ મેમ્બરના કોરોના ટેસ્ટ ન કરાતા અનેક સવાલો સર્જાયા છે.