જોકે, કેટલાંક કરદાતાઓ એવા પણ છે, જે સમય મર્યાદા સમાપ્ત થયા બાદ પણ કોઈ પેનલ્ટી વગર પોતાનું આઈટીઆર દાખલ કરી શકે છે. આવો તમને જણાવીએ કે કયા કરદાતાઓને છૂટછાટ મળશે. મહત્વનું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નાણાંકીય વર્ષ 2020-21 માટે ITR ભરવાની ડેડલાઈનને ફરી એક વખત વધારીને 31 ડિસેમ્બર 2021 કરી છે. 31 ડિસેમ્બર બાદ ITR ભરશો તો 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
ચૂકવવો પડશે 5000 રૂપિયાનો દંડ
સરકાર દ્વારા આપવામાં આવેલી તારીખ બાદ રિટર્ન ફાઈલ કરવાથી 5000 રૂપિયાનો દંડ થઇ શકે છે. ઈન્કમ ટેક્સની સેક્શન 234Fમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, કરદાતાઓની કમાણી 5 લાખ રૂપિયાની અંદર હોય તો લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાનો નિયમ છે. 5 લાખ રૂપિયાથી વધુની કમાણી પર દંડની રકમ વધી જશે.
કોને દંડ ચૂકવવો નહીં પડે?
જેની કુલ આવક બેઝીક છૂટછાટની લિમિટથી વધુ નથી તો તેમને આઈટીઆર ફાઈલ કરવામાં કોઈ પેનલ્ટી ભરવી નહીં પડે. જો કુલ આવક ઈન્કમ ટેક્સ છૂટછાટની બેઝીક લિમિટથી ઓછી રહે છે તો પછી મોડા રિટર્ન ફાઈલ કરવાને કારણે સેક્શન 234F હેઠળ કોઈ દંડ ભરવો નહીં પડે.