ભયજનક આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદના 4 થી 5 આતંકીઓ સરહદ પારથી ભારતમાં ઘૂસી ગયા છે. સૂત્રોએ આ અંગેની માહિતી આપી છે. સરહદ પર ભારે તણાવ વચ્ચે, જૈશના આતંકીઓ ગુપ્ત રીતે ભારતમાં ઘૂસ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જો કે, આ અહેવાલને પગલે ભારતીય સુરક્ષા દળો એલર્ટ પર છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સીમા પારથી આતંકી ઘૂસણખોરીની સતત કેટલાક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવેલ છે. આ દરમિયાન પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ એટલે કે BAT દ્વારા 4 વખત ઘૂસણખોરી કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા જો કે, ભારતીય જવાનોએ સીમા પર જ તેમને અટકાવી દેવામાં આવ્યા.
સેનાના એક સૂત્રના જણાવ્યા મુજબ, ગત સપ્તાહે માત્ર કેરનમાં જ નહીં પરંતુ LOC પાસે કેટલીય જગ્યાએ ઘૂસણખોરીના પ્રયત્નો કરવામાં આવ્યા. ગુરેજ, તંગધાર અને માછિલમાં પણ ઘૂસણખોરીના પ્રયત્ન કરવામાં આવેલ જેમાં તેઓ અસફળ રહ્યા.
POK માંથી 4 જૈશ આતંકીઓનો એક સમૂહ ભારતમાં પ્રવેશ કરી રહ્યો હતો. પાકિસ્તાની સેના BAT ના જવાનો અને આતંકીઓને ઘૂસણખોરી કરાવી રહી છે. પૂર્વમાં BAT એ ભારતીય સેનાને નિશાન બનાવીને હુમલો કર્યો અને નુકસાન પહોંચાડ્યું હતું.
આતંકીઓની ઘૂસણખોરી મામલે સૂત્રોએ કહ્યું કે આ અંગેની સૂચના સુરક્ષા દળો અને ઇન્ટેલિજન્સને આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઘટના ખતરનાક સાબિત થઇ શકે છે. છેલ્લા 48 કલાકમાં સીમા પર બંન્ને પક્ષ તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાની ફાયરિંગનો ઝડબાતોડ જવાબ આપી રહી છે.