કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માતા પિતા માટે બાળકોમાં કોરોના સંક્રમણની ઓળખ માટે ગાઈડલાઈન જારી કરી છે.
વાલી આ બાબતો પર ધ્યાન આપે તો સંક્રમણની ઓળખ જલ્દી થઈ શકે
કેટલાક બાળકોને એમઆઈએસ સિંડ્રોમ
શ્વાસની સ્પીડ પર નજર રાખો
મંત્રાલયે કહ્યુ તે જો વાલી આ બાબતો પર ધ્યાન આપે તો સંક્રમણની ઓળખ જલ્દી થઈ શકે છે. આ ઉપરાંત તેમને ગંભીર સ્થિતિમાં જતા રોકી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર બાળકોમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ છે પણ લક્ષણ નથી તો તેમની સારવાર એટલી જ સરળ બની શકે છે જ્યારે ઝડપથી તેની ઓળખ કરી લેવામં આવે. સામાન્ય લક્ષણોમાં ઉધરસ, શરદી, ગળામાં બળતરા અને નાક વહી રહ્યું છે. પણ શ્વાસની તકલીફ નથી તો તેની ઘરે સારવાર શક્ય છે. હૃદય અને ક્રોનિક લંગ ડિસીજ, ઓબેસીટી સહિત અન્ય તકલીફોથી ગ્રસ્ત બાળકોની ઘરે સારવાર થઈ શકે છે.
કેટલાક બાળકોને એમઆઈએસ સિંડ્રોમ
કેટલાક બાળકોને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ પણ થઈ રહ્યો છે. જેમાં બાળકોને તાવ, પેટમાં દુઃખાવો, ઝાડા શરીરમાં ચાઠાની સાથે હૃદય અને ન્યૂરોલોજિકલ સમસ્યા હોય છે. આ રીતની તકલીફ ગંભીર થઈ શકે છે.
શ્વાસની સ્પીડ પર નજર રાખો
2 મહિનાના બાળકમાં 60થી ઓછો ન હોવો જોઈએ શ્વાસ લેવાનો પ્રતિ મિનિટ દર
1 વર્ષના બાળકમાં 50થી ઓછો ન હોવો જોઈએ શ્વાસ લેવાનો પ્રતિ મિનિટ દર
5 વર્ષના બાળકમાં 40થી ઓછો ન હોવો જોઈએ શ્વાસ લેવાનો પ્રતિ મિનિટ દર
5 વર્ષથી મોટી ઉંમરના બાળકમાં 30થી ઓછો ન હોવો જોઈએ શ્વાસ લેવાનો પ્રતિ મિનિટ દર
રેસ્પિરેટરી રેટ અને ઓક્સિજન લેવલ દિવસમાં 2થી 3 વાર તપાસો
છાતીને જોતા રહો, શરીરનો રંગ તો નથી બદલાઈ રહ્યોને, યૂરીન આઉટપુર પર નજર રાખો
નાના બાળકોને કોઈ સમસ્યા હોય તો તાત્કાલીક ડોક્ટર્સને જણાવો
માઈલ્ડ લક્ષણ વાળા બાળકોની સારવાર
તાવ માટે પેરાસિટામોલ 15 એમજી દર 4થી 6 કલાક પર, ખાંસી માટે ગરારા, પ્રવાહી પદાર્થ અને પૌષ્ટિક આહાર આપો.
મોર્ડરેટ લક્ષણ વાળા બાળકોની સારવાર
બાળકની ઉંમરના હિસાબે શ્વાસ લેવાની ગતિ ઓછી થઈ રહી છે તેનો મતલબ છે કે બાળકોમાં મોર્ડરેટ લક્ષણ છે. બાળકોમાં ઓક્સિજન લેવલ 90 ઉપર હોવુ જોઈએ. આટલુ ન હોય તો હોસ્પિટલમાં દાખલ કરો. બાળકને કોઈ બીજી ગંભીર બીમારી નથી તો નિયમિત કોઈ તપાસ જરુરી નથી. પુરતા પ્રમાણમાં પ્રવાહી પદાર્થ આપતા રહો. આઈવી ફ્લૂડનો ઉપયોગ શક્ય છે.
ગંભીર લક્ષણવાળા બાળકોની સારવાર
જેમનું ઓક્સિજન લેવલ 90થી ઓછુ છે. છાતી ઝડપથી ફુલાઈ રહી છે. થાક, સુસ્તી અને ખેંચ છે. તેવા લક્ષણો વાળા બાળકોને હોસ્પિટલમાં એચડીયુ અને આઈસીયુમાં જ દાખલ કરવા જોઈએ. મંત્રાલય અનુસાર આવા બાળકોમાં લોહીનો થક્કો, સોજા અને અંગ ફેલ થવા સાથે જોડાયેલી તપાસ જરુરી છે. બ્લડ, લિવર અને કિડની ફંક્શન ટેસ્ટની સાથે એક્સરે તપાસ અનિવાર્ય છે.