દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમારું અકાઉન્ટ એસબીઆઇમાં છે અને બેંકની ચેકબુકનો ઉપયોગ કરો છો તો તમારો ચેક આ મહિને બેકાર થઇ જશે. એનો મતલબ તમે ચેકથી પૈસાની લેણદેણ કરી શકશો નહીં.
એસબીઆઇએ ચેક બુક સરેન્ડર કરવા અને નવી ચેક બુક જારી કરવા માટે ગ્રાહકોને મેસેજ મોકલાવાના પણ શરૂ કરી દીધા છે. જે પ્રમાણે નોન સીટીએસ ચેક બુક આવતા મહિનાથી સ્વીકાર કરવામાં આવશે નહીં. બેંક આરબીઆઇના નિર્દેશ અનુસાર આવું કરી રહી છે.
આરબીઆઇએ આશરે 3 મહિના પહેલા બેંકોને નિર્દેશ આપતા કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2019થી નોન સીટીએસ ચેક બુકનો પ્રયોગ પૂરી રીતે બંધ કરે. આરબીઆઇના નિર્દેશના પાલનમાં બેંક એવા ચેકોને લેવા પૂરી રીતે બંધ કરવા જઇ રહી છે. બેંક પોતાના ગ્રાહકોને જૂની ચેક બુક સરેન્ડર કરીને નવી ચેક બહુક લેવાની સલાહ આપી રહી છે.
નોન સીટીએસ ચેક બુક બંધ કરવાની ડેડલાઇન આમ તો 31 ડિસેમ્બર 2018 છે પરંતુ આરબીઆઇએ ગ્રાહકોને મોકલેલા મેસેજમાં કહ્યું છે કે 12 ડિસેમ્બરથી એ આ પ્રકારના ચેક સ્વીકાર કરશે નહીં. પીએનબીએ અધિસૂચના જારી કરીને કહ્યું છે કે સીટીએસ વગરની સુવિધા ચેક 1 જાન્યુઆરી 2019થી ક્લીયરન્સ માટે લેવામાં આવશે નહીં. બેંકે ગ્રાહકોને સીટીએસ વગર સુવિધાના ચેકની જગ્યા બીજો ચેક લેવાનું કહ્યું છે.
વાસ્તવમાં સીટીએસમાં ચેક પાસ કરાવવાનું કામ જલ્દી થાય છે. આ વ્યવસ્થામાં ચેકના ક્લીયરન્સ માટે બેંકથી બીજી બેંકમાં લઇ જવાની જરૂર પડતી નથી. એના ક્લીયરન્સ માટે માત્ર ઇલેક્ટ્રોનિક કોપી પેશ કરવામાં આવે છે. એનાથી ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડી શકાય છે.