કોરોનાથી સાજા થનાર લોકોએ હવે વધારે સાવધાન રહેવાની જરુર છે કારણ કે તેમને હવે આ મોટી બીમારીનો ખતરો પેદા થયો છે.
કોરોનાથી સાજા થનાર લોકોએ સાવધાની રાખવા જેવી
સાવધાની ન રાખી તો હાર્ટએટેકથી થઈ શકે છે મોત
નિષ્ણાંતોએ આપી છે મોટી ચેતવણી
એક ભૂલ ભારે પડી શકે
કોરોનાથી સાજા થનાર લોકોએ ખાસ સાવધાન થવાની જરુર છે કારણ કે તેમની હાર્ટએટેક પરેશાન કરી શકે છે અને તેમનો જાન પણ જઈ શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ દર્દીઓ, જેઓ કોવિડથી સાજા થયા છે, તેમણે કાર્ડિયાક ચેકઅપ કરાવવું જોઈએ. જેથી કોઈ રોગની જાણ થઈ શકે.
કોરોનાથી સાજા થનાર લોકો પર ખતરો યથાવત
કોરોનાની ત્રીજી લહેર હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ જે લોકો આ ખતરનાક વાયરસનો શિકાર બન્યા છે તેમના પર ખતરો હજુ ઓછો થયો નથી. વાસ્તવમાં આંધ્રપ્રદેશના ઉદ્યોગ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી મેકપતિ ગૌતમ રેડ્ડીના નિધનથી બધા હચમચી ગયા છે. સોમવારે હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું. તેઓ માત્ર 50 વર્ષના હતા.
કોરોનાથી સાજા થનાર લોકો 3 મહિના સુધી કસરત કરે
તેમના મૃત્યુથી હવે નવેસરથી કોરોના થયા બાદ દર્દીઓમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વધી છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોએ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી વધારે કસરત ન કરવી જોઈએ.
કોરોનાથી સાજા થયા બાદ 7 લોકોને આવ્યો હાર્ટએટેક
હાલના સમયમાં કોરોનાથી સાજા થતા દર્દીઓમાં હૃદયની સમસ્યા જોવા મળી છે. આવી સ્થિતિમાં અમુક ઉંમર પછી ડોક્ટરો લોકોને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યા છે. સેન્ચ્યુરી હોસ્પિટલના કાર્ડિયો થોરાસિક સર્જન ડો.હેમંત કૌકુંટલે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક મહિનાઓમાં, મેં 40-50 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં હાર્ટ એટેકના ઓછામાં ઓછા 7 કેસ જોયા છે. આનું સામાન્ય પરિબળ એ હતું કે તે બધા પુરુષો હતા અને તે બધા કોરોનાથી સ્વસ્થ થયા પછી પાછા ફર્યા હતા."
40 વર્ષથી વધુ ઉંમરના લોકો સાવચેત રહે
ડોક્ટરોનું કહેવું છે કે 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ દર્દીઓ, જેઓ કોવિડથી સાજા થયા છે, તેમણે કાર્ડિયાક ચેકઅપ કરાવવું જોઈએ. જેથી કોઈ રોગની જાણ થઈ શકે. મંત્રીના અકાળે મૃત્યુને ટાંકીને ડોક્ટરે કહ્યું, "આ મૃત્યુને બધા માટે જાગવાની હાકલ તરીકે જોવું જોઈએ.