જો તમે ડેબિટ અથવા ક્રેડિટથી 16 માર્ચ સુધી ઑનલાઇન અથવા કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શ કર્યું નથી તો આ સુવિધા બંધ થઇ જશે. આ સુવિધાને જારી રાખવા માટે જરૂરી છે કે તમે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી 16 માર્ચ પહેલા ઓછામાં ઓછું એક વખત ઑનલાઇન અથવા કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શ કરી લો.
16 માર્ચ પહેલા ઓછામાં ઓછું એક વખત ઑનલાઇન અથવા કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શ કરો.
અન્ય સેવાઓ માટે તમારું ડેબિટ/ક્રેડિટ ચાલુ રહેશે.
આ નવો નિયમ 16 માર્ચ 2020થી નવા કાર્ડ માટે લાગૂ થઇ જશે.
વાસ્તવમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી લેણદેણની સુરક્ષા વધારવા માટે ભારતીય રિઝર્વ બેંકે 15 જાન્યુઆરી 2020એ એક અધિસૂચના જારી કરી હતી. એમાં કાર્ડ જારી કરનાર કંપનીઓ અને બેંકોને એ તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડોના ઑનલાઇન લેણદેણ અને સંપર્ક રહિત ચુકવણી સેવાઓને બંધ કરવા માટે કહ્યું હતું, જેની ઑનલાઇન લેણદેણ માટે ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી.
જણાવી દઇએ કે કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની મદદથી કાર્ડહોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર હોતી નથી. પોઇન્ટ ઑફ સેલ મશીનથી કાર્ડને સ્કેચ કરવા પર પેમેન્ટ થઇ જાય છે. ટ્રાન્ઝેક્શનની લીમિટ 2000 રૂપિયા છે. એક દિવસમાં પાંચ કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી શકે છે. એમાં RFID ટેક્નૉલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
16 માર્ચથી લાગૂ થઇ રહ્યો છે આરબીઆઇનો આ નિયમ
RBIએ બેંકોને કહ્યું છે કે કાર્ડ ઇશ્યૂ/રીઇશ્યૂ કરતી વખતે દેશમાં એટીએમ અને પીઓએસ ટર્મિનલ્સ પર માત્ર ડૉમેસ્ટિક કાર્ડ્સથી ટ્રાન્ઝેક્શનને જ મંજૂરી આપે એટલે કે જે લોકોને વિદેશ આવવા જવાનું થતું નથી અને એમના બેંક કાર્ડ પર ઓવરસીઝ સુવિધા મળશે નહીં. હવે બેંકમાં અરજી કરવા પર જ આ સેવાઓ શરૂ થશે. અત્યાર સુધી બેંક આ તમામ સેવાઓને કોઇ પણ ડિમાન્ડ વગર પણ શરૂ કરી દેતી હતી. ગ્રાહકને વિદેશમાં ટ્રાન્ઝેક્શન, ઑનલાઇન ટ્રાન્ઝેક્શન અથવા કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સેવા જોઇએ તો એને આ સુવિધા પોતાના કાર્ડ પર અલગથી લેવી પડશે.
જે લોકો પાસે હાલ કાર્ડ છે એ પોતાના જોખમના આધાર પર એ નક્કી કરશે કે એ પોતાના ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કાર્ડનું ટ્રાન્ઝેક્શનને ડિસેબલ કરવા ઇચ્છે છે કે નહીં. જો કે કાર્ડ જે લોકોથી હજુ સુધી ઑનલાઇન/ઇન્ટરનેશનલ/કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શ થયું નથી, એમાંઆ સુવિધાઓ બંધ કરવી જરૂરી છે.
ગ્રાહકોને 24 કલાક સાત દિવસ કોઇ પણ સમય પોતાના કાર્ડને ઑન/ઑફ કરી શકે છે અથવા ટ્રાન્ઝેક્શ લિમિટમાં ફેરફાર કરી શકે છે. એના માટે એ મોબાઇવ એપ અથવા ઇન્ટરનેટ બેંકિંગ અથવા એટીએમ અથવા આઇવીઆરનો સહારો લઇ શકે છે.