અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને લઇને રાજ્યમાં ફરી હવામાન વિભાગે કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવાના હળવા દબાણને લઇને દરિયાકાંઠા પર દહેશત જોવા મળી રહી છે. જેને લઇને સાવચેતીને લઇને ઓખા, દ્વારકાના માછીમારોની બોટ પરત ફરી છે.
અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાયુ
ઓખા, દ્વારકા, પોરબંદરના માછીમાર પરત ફર્યા
વાવાઝોડાના પગલે બંદરો પર 3 નંબરના સિગ્નલ લગાવાયાં
ઓખા-દ્વારકાના માછીમારોની બોટ પરત ફરી
અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે જેના કારણે ઓખા, દ્વારકાના માછીમારોની બોટ પરત ફરી છે. દરિયો તોફાની બનવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના કારણે સાવચેતીના ભાગ રૂપે માછીમારો પરત ફર્યા છે.
ઓખા-દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ
અરબી સમુદ્નમાં સર્જાયેલા હવાના હળવા દબાણને લઇને તંત્ર દ્વારા ઓખા અને દ્વારકા ફેરી બોટ સર્વિસ સાવચેતીના પગલે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે વાવાઝોડાના પગલે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે.
વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
રાજ્યની માથે તોળાતા વાવાઝોડાના કારણે અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેના પગલે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. જ્યારે ભારે પવન સાથે સમુદ્ર તોફાની બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પોરબંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે દરિયાકાંઠે વાવાઝોડાની દહેશતના પગલે બંદરો પર 3 નંબરના સિગ્નલ લગાવામાં આવ્યાં છે. જેને લઇને પોરબંદર ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. દરિયો તોફાની બનવાની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પોરબંદરના માછીમારો બંદર પર પરત ફર્યાં.
અરબી સમુદ્રમાં સર્જાયું હવાનું હળવું દબાણ ઓમાન ફંટાય તેવી શક્યતા
અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતથી 370 કિમી દૂર સમૂદ્રમાં હળવું દબાણ સર્જાયું છે. જો કે આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાવવાની શક્યતા છે. જો કે તંત્ર દ્વારા રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા માટે ગયેલી બોટને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે.