દારુ શરીર માટે હાનિકારક છે, આ વાત દારુની બોટલ પર પણ લખેલી હોય છે. દારુ પીવાથી શરીરમાં ધીરે ધીરે નુકશાન થાય છે અને ગંભીર બીમારી થઇ શકે છે.
આલ્કોહોલ સ્કિન ડિસઓર્ડરનું કારણ બની શકે છે
દારુના સેવનથી દાંત પેઢા નબળા બને છે
આજ કાલ દારુને એન્જોયમેન્ટ સાથે જોડવામાં આવે છે. પાર્ટી હોય કે ખુશીની વાત હોય ત્યારે ડ્રિંક કરવુ બહુ જ સામાન્ય વાત થઇ ગઇ છે. દારુ પીવુ શરીર માટે ખૂબ જ હાનિકારક છે પરંતુ અમુક લોકો દારુનો વધારે પડતો નશો કરે છે. જાણકારોનું કહેવુ છે કે, દારુ લિવરની સાથે શરીરના અનેક ભાગ પર ઘણી નકારાત્મક અસર કરે છે.
નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર, પુરુષો અને મહિલાઓના એક અઠવાડિયામાં 14 યુનિટથી વધારે ના પીવુ જોઇએ, જો લગભગ 175 મિલિ ના 6 ગ્લાસ કે 4 ગ્લાસ બીયરના 6 પિંટ બરાબર છે. જો કોઇ તમારી ક્ષમતા વધારે છે તો શરીર ધીરે ધીરે ખરાબ થવા લાગે છે. આવો તો જાણીએ કે ચેતવણી રુપી સંકેત વિશે જેના દ્વારા તમે જાણી શકો છો કે હવે તમારુ દારુ પીવાનું બંધ કરવુ જોઇએ.
બ્લોટિંગઃ
જો તમને બ્લોટિંગ એટલે કે પેટ ફૂલેલુ લાગતુ હોય તો તેનો અર્થ છે કે દારુનું સેવન તમારા પાચન તંત્ર પર નકારાત્મક અસર કરે છે. પેટના સ્વાસ્થ્ય બેક્ટેરિયા દારુથી વધારે પ્રભાવિત થઇ શકે છે અને તમારા આંતરડાના સ્વાસ્થ્યને બગાડે છે. જો તમને પણ બ્લોટિંગ થઇ રહી છે તો તરત જ દારુ છોડો અને ડોક્ટરની સલાહ લો.
બીમાર અનુભવ:
જો તમે નિયમિત રીતે દારુ પીશો તો તમને વારંવાર બીમારીઓ થવાનો ભય રહ્યા કરશે કારણ કે દારુ તમારી ઇમ્યુનિટીને નબળી બનાવે છે. આલ્કોહોલનુ વારંવાર સેવન તમારા લોહીમાં બીમારીઓથી લડનારી કોશિકાઓની સંખ્યામાં ઉણપ કરે છે અને દારુ પીનારા વ્યક્તિ સ્વસ્થ્ય વ્યક્તિની અપેક્ષા કરતા વધારે સંક્રમણ અને બીમારીઓની ચપેટમાં આવી શકે છે.
સુવામાં મુશ્કેલીઃ
ઘણા લોકો સાતથી આઠ કલાકની ઉંઘ નથી લઇ શકતા. દારુની લતથી ઉંઘ ખરાબ થઇ શકે છે. સ્વસ્થ્ય રહેવા માટે પૂરતી ઉંઘ એટલી જ જરુરી છે જેટલો હેલ્ધી ખોરાક અને રોજની કસરત કરવી જરુરી છે. જો તમને દારુ પીધા બાદ ઉંઘ નથી આવતી તો સમજો કે હવે દારુ સંપૂર્ણ રીતે છોડવાનો સમય આવી ગયો છે.
ત્વચાને લગતી સમસ્યાઃ
આલ્કોહોલ સ્કિન ડિસઓર્ડરનું કારણ બની શકે છે. વધારે પડતી દારુ પીતા પહેલાથી ત્વચા હાજર વધારે સંવેદનશીલ હોય છે જે તમારી ત્વચા માટે હાનિકારક હોઇ શકે છે. દારુ ત્વચાને શુષ્ક બનાવે છે તે સાથી ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. જો તમારી ત્વચા પર પણ આ સંકેત દેખાઇ રહ્યા છે તો દારુ છોડવાનો આ સંકેત છે.
દાંતોની સમસ્યાઃ
વધારે પડતી દારુના સેવનથી દાંત ખરાબ થવાનો ભય રહે છે. મીઠા ખાદ્ય પદાર્થ અને ડ્રિંક્સ તમારા મોંઢામાં બેક્ટેરિયાને વધવા માટે જરુરી ઇંધણ આપવાનુ કામ કરે છે. જેનાથી તે તમારા ઇનેમલ પર હુમલો કરીને તેને નષ્ટ કરી શકે છે. જેનાથી પેઢા તથા દાંત નબળા થવા લાગે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.