Alaxmi Devi: જાણો કોણ છે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મી? ઘરમાં જેમના પગ મુકતા જ થવા લાગે છે સર્વનાશ. અલક્ષ્મીનો સ્વભાવ માતા લક્ષ્મીથી એકદમ વિપરીત છે. આવો જાણીએ તેમના ઘરમાં આવવાથી શું થાય છે.
જાણો કોણ છે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મી?
ઘરમાં જેમના પગ મુકતા જ થવા લાગે છે સર્વનાશ
જાણો તેમના વિશે વિસ્તારથી
માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તે જેના પર પ્રસન્ન થાય છે. તેમની કિસ્મત ખુલી જાય છે. તે નોકરીયાત હોય તે વ્યાપારી, દરેક લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ રીતો અપવાને છે. જોકે તેમની કૃપા ઘણા ઓછા લોકોને નસીબ થાય છે.
એ વાતને ઘણા ઓછા લોકો જાણે છે કે માતા લક્ષ્મીની એક મોટી બહેન પણ છે જેમનું નામ અલક્ષ્મી છે. તેમનો સ્વભાવ માતા લક્ષ્મીના એકદમ વિપરીત છે. ભાગવત મહાપુરાણના અનુસાર સમુદ્ર મંથનના વખતે પહેલા મોટી બહેન અલક્ષ્મી નિકળ્યા હતા. પોતાના નામ અનુસાર તેમણે અસુરી શક્તિઓનું વરણ કર્યું.
ગરીબી અને દરિદ્રતાની દેવી છે અલક્ષ્મી
દેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. ગ્રંથોના અનુસાર તેમના વિવાહ અક મહર્ષિની સાથે થયા હતા. જોકે વિવાહના બાદ તેમણે મહર્ષિ આશ્રમમાં પ્રવેશથી ઈનકાર કરી દીધો હતો. જ્યારે પણ કોઈ ઘરમાં અલક્ષ્મીના પગ પડે છે તો તે દરિદ્રતા, મુશ્કેલી અને દુખોના સમયમાંથી પસાર થાય છે. એવા મનુષ્ય અનેક પ્રકારના કષ્ટોથી ઘેરાયેલો રહે છે.
આવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે અલક્ષ્મી
દેવી અલક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે જે ગંદા રહે છે અને જ્યાંના લોકો હંમેશા ઝગડો કરવાનું પસંદ કરે છે. અધર્મ કે ખોટુ કાર્ય કરનારના ઘરે દેવી અલક્ષ્મી ખેંચાઈ આવે છે. તેમના આવતા જ તે ઘર ધન અને સ્વાસ્થ્ય બન્નેથી બરબાદ થઈ જાય છે.
આવી જગ્યાએ નથી પ્રવેશ કરતા દેવી અલક્ષ્મી
જ્યાં લોકો સાફ-સુથરા રહે છે. એક બીજા સાથે હળીમળીને રહે છે અને ભગવાનની પૂજા કરે છે ત્યાં અલક્ષ્મી દેવી ક્યારેય પ્રવેશ કરવાની હિમ્મત નથી કરતા. માન્યતા છે કે દેવી અલક્ષ્મીને ખાટ્ટી અને તીખી વસ્તુઓ નાપસંદ છે. માટે તેમને પોતાના ઘરથી દૂર રાખવા માટે મેન ગેટ પર લીબુ-મરચા લટકાવી દો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)