કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચેના ગજગ્રાહ બાદ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે નિવૃતી લઈ લીધી છે.
મમતાએ અલપન બંદોપાધ્યાયને મુખ્ય સચિવ પદેથી નિવૃત કરાવ્યાં
વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કર્યાં
કેન્દ્ર સરકારે અલપન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવ્યાં હતા
મમતાએ બંદોપાધ્યાયને દિલ્હી ન જવા દીધા
31 મે ના દિવસે તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો જોકે મમતા સરકારે તેમનો કાર્યકાળ 3 મહિના લંબાવી દીધો હતો. કેન્દ્ર સરકારે તેમને દિલ્હી આવવાનો ઓર્ડર કરી દીધો હતો જોકે તેમણે ઓર્ડર માનવાનો ઈન્કાર કર્યો હતો અને દિલ્હી આવ્યાં નહોતા.
અલપન બંદોપાધ્યાય મમતા બેનરજીના વિશેષ સલાહકાર
સીએમ મમતા બેનરજીએ અલપન બંદોપાધ્યાયને તેમના વિશેષ સલાહકાર બનાવ્યાં છે. મમતા બેનરજીએ મુખ્ય ગૃહ સચિવ એચ.કે.દ્વિવેદીને નવા મુખ્ય સચિવ બનાવ્યાં છે. બોલાવ્યા છતા દિલ્હી ન આવવા બદલ કેન્દ્ર સરકારે અલપન બંદોપાધ્યાયને કારણ દર્શક નોટીસ પાઠવી છે. કેન્દ્રની આ કાર્યવાહીની ગણતરીની મિનિટોમાં મમતા બેનરજીએ અલપન બંદોપાધ્યાયને મુખ્ય સચિવ પદેથી રિટાયર કરાવીને મુખ્ય સલાહકાર બનાવી દીધા.
અલપન બંદોપાધ્યાય 31 મે ના દિવસે રિટાયર થવાના હતા
પશ્ચિમ બંગાળની 1987 કેડરના આઈએએસ અધિકારી અલપન બંદોપાધ્યાય 31 મે ના દિવસે રિટાયર થવાના હતા જોકે કેન્દ્રની મંજૂરી બાદ તેમને ત્રણ મહિનાનો સેવા વિસ્તાર અપાયો હોતો. સેવા વિસ્તાર અપાયાના ચાર દિવસ બાદ કેન્દ્ર સરકારે તેમને દિલ્હી બોલાવવાનો આદેશ જારી કર્યો હતો.
અલપન બંદોપાધ્યાયને મુખ્ય સચિવ પદેથી ફરજમુક્ત કરવાનો આદેશ કેન્દ્ર સરકારે મમતા સરકારને આપ્યો હતો. જોકે મમતાએ આ આદેશને માનવાનો ઈન્કાર કરી દઈને કેન્દ્ર સરકારના આદેશને જબરજસ્તી ડેપ્યુટેશન ગણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે બંગાળના મુખ્ય સચિવને દિલ્હી બોલાવ્યાં, પણ ન આવ્યાં
કેન્દ્ર સરકારે અલપન બંદોપાધ્યાયને 31 મે ના સવારના 10 કલાકે દિલ્હી હાજર થઈને રિપોર્ટ આપવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓ હાજર રહ્યાં નહોતા. તેને બદલે મુખ્યમંત્રી મમતા બેનરજીનો પત્ર સામે આવ્યો છે. મમતાએ પ્રધાનમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે આવા મુશ્કેલ સમયમાં બંગાળ સરકાર તેના મુખ્ય સચિવને કાર્યમુક્ત ન કરી શકે. મમતાએ પત્રમાં કેન્દ્ર સરકારને અલપન બંદોપાધ્યાય સંબંધિત આદેશ પરત લેવાનું જણાવ્યું છે. મમતાએ કહ્યું કે કેન્દ્ર સરકારના એકતરફી નિર્ણયથી તેમને ઘણી હેરાની થઈ છે.
પત્રમાં મમતાએ બેનરજીએ કહ્યું કે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયની શું ભૂલ છે ? મુખ્ય સચિવ હોવાને નાતે મારી સહાયતા કરવી તેમની ફરજ છે. તેમને મારી સામે ઘણી ફરિયાદો હોઈ શકે અને તેઓ અલગ અલગ રીતે મારુ અપમાન કરી રહ્યાં છે. મેં તેનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ બંદોપાધ્યાયને શા માટી હેરાન કરાઈ રહ્યાં છે. તેઓ ઈમાનદાર અધિકારી છે અને ચોવીસ કલાક કામ કરી રહ્યાં છે.