કેન્દ્ર સરકાર અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલ ઘમસાણમાં આજે CM મમતાએ મોટી ચાલ રમી છે, તેમણે અલપન બંદોપાધ્યાયને પોતાના મુખ્ય સલાહકાર બનાવવાનું એલાન કર્યું છે
કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલ ઘમસાણમાં આજે CM મમતાએ મોટી ચાલ રમી
હવેથી અલપન બંદોપાધ્યાય તેઓ મુખ્યમંત્રીના સલાહકાર
કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની અનુમતિ વગર કોઈ પણ અધિકારીને જોડાવવા માટે દબાણ નથી કરી શકતી
કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલ ઘમસાણમાં આજે CM મમતાએ મોટી ચાલ રમી
કેન્દ્ર સરકાર અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલ ઘમસાણમાં આજે CM મમતાએ મોટી ચાલ રમી છે, તેમણે અલપન બંદોપાધ્યાયને પોતાના મુખ્ય સલાહકાર બનાવવાનું એલાન કર્યું છે, આટલેથી ન અટકતા મમતાએ કહ્યું જે તેઓ મંગળવારથી જ કામ શરૂ કરી દેશે. જ્યારે મુખ્ય સચિવની જવાબદારી હરિકૃષ્ણ દ્વિવેદીને સોમવારે જ સોંપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની અનુમતિ વગર કોઈ પણ અધિકારીને જોડાવવા માટે દબાણ નથી કરી શકતી
મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે "હું અલપન બંદોપાધ્યાયને નબન્ન છોડવા નહીં દઉં, ભલે તેઓ 31 મેના રોજ પોતાના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા હોય અને તેઓ દિલ્હી જવા રવાના થવાના હોય. હવેથી તેઓ મુખ્યમંત્રીના સલાહકાર છે." વધુમાં તેમણે કહ્યું કે તેઓ 1 જૂનથી એટલે કે મંગળવારથી જ સલાહકાર તરીકેનો કાર્યભાર સાંભળશે. સાથે જ તેમણે કહ્યું કે "મે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો, તેના જવાબમાં નિવૃત્ત મુખ્ય સચિવને હવે આવતીકાલથી 'નોર્થ બ્લોક' માં કાર્યભાર સંભાળવાનું કહ્યું હતું. પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પરવાનગી વગર મુખ્ય સચિવને કેન્દ્રમાં બોલાવવાનું કારણ મને નથી ખબર" વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની અનુમતિ વગર કોઈ પણ અધિકારીને જોડાવવા માટે દબાણ નથી કરી શકતી.
કેન્દ્ર સરકાર મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયની સામે શું કાર્યવાહી કરી શકે
- ત્રણ મહિનાનું એક્સટેન્શન રદી કરી શકે
- કેન્દ્ર સરકાર ફરી વાર તેમને બોલાવી શકે છે
- મુખ્ય સચિવને કારણ દર્શક નોટીસ આપીને પૂછી શકે કે તેમની સામે શા માટે કાર્યવાહી ન થઈ શકે.