પયગંબર વિરુદ્ધ ટીપ્પણીનો મામલો શાંત પડવાનું નામ લેતો નથી. દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ હવે ખુલ્લેઆમ ભારતમાં આત્મઘાતી હુમલાની ચેતવણી આપી છે. અલકાયદાએ એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલાની આપી છે.
6 જુને લખવામાં આવેલા પત્રમાં અલકાયદાએ કહ્યું કે અમે પ્રોફેટ (પયગંબર)ના માનમાં મુંબઈ,યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરીશું.
શરીર પર વિસ્ફોટકો બાંધીને કૂદી પડીશું- અલકાયદાની ધમકી
અલ કાયદાએ લેટરમાં એવું પણ અમે પયગંબર પર નિવેદન આપનારની હત્યા કરીશું તેમણે કહ્યું કે અમે અમારી શરીર અને અમારા બાળકોના શરીર સાથે વિસ્ફોટક પદાર્થો બાંધીને અમારા પ્રોફેટનું અપમાન કરનારની વિરુદ્ધમાં કૂદી પડીશું. તેમાં એવું પણ કહેવાયું કે ભગવા આતંકીઓએ દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં તેમના વારાની રાહ જોવી જોઈએ.
ભાજપના બે પૂર્વ નેતાઓએ પયગંબર વિરુદ્ધ આપ્યું હતું વિવાદીત નિવેદન
ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપુર શર્મા અને નવીન જિદલે ટીવી ડિબેટમાં ઈસ્લામના સ્થાપક મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદીત નિવેદન આપ્યું હતું જોકે ભાજપે બન્ને નેતાઓએ પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા હતા પરંતુ આ ઘટનાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને અત્યાર સુધી 15 ઈસ્લામિક દેશોએ આ ઘટનાને વખોડી છે.
વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ ભાજપ યુવા પાંખના નેતાની ધરપકડ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિંસા ફાટી નીકળ્યાના ચાર દિવસ બાદ મંગળવારે કાનપુર પોલીસે પયગંબર મુહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાજપ યુવા પાંખના એક નેતાની ધરપકડ કરી હતી. “કાનપુર પોલીસે તાજેતરમાં ફાટી નીકળેલી જિલ્લામાં અથડામણને ધ્યાનમાં રાખીને તેના વિવાદાસ્પદ ટ્વીટ પર ભાજપના યુવા પાંખના નેતા હર્ષિત શ્રીવાસ્તવની ધરપકડ કરી છે. કેસ નોંધવામાં આવ્યો છે.
નૂપુર શર્માને મહારાષ્ટ્ર પોલીસનું સમન્સ
પયગંબર મોહમ્મદ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ મંગળવારે મહારાષ્ટ્ર પોલીસે ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માને સમન્સ પાઠવ્યું હતું. તેણીને 22 જૂને થાણે જિલ્લાના મુંબ્રા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સમક્ષ તેણીનું નિવેદન નોંધવા માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે.પોલીસે સસ્પેન્ડ કરાયેલા ભાજપ નેતાને ઈમેલ તેમજ સ્પીડ પોસ્ટ દ્વારા સમન્સ મોકલ્યા છે, જેમાં તેણીની સામે નોંધાયેલા કેસની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.