પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણીને લઈને હવે વિરોધના વંટોળ છેક ફિલીસ્તાન સુધી પહોંચી ગયા છે.
ફિલીસ્તાન સુધી પહોંચ્યો વિવાદ
પયગંબર વિવાદને લઈને મુસ્લિમ દેશોમાં રોષ
હિન્દુઓ વિરુદ્ધ એક થવા આહ્વાન કર્યું
પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણીને લઈને હવે વિરોધના વંટોળ છેક ફિલીસ્તાન સુધી પહોંચી ગયા છે. ભાજપ નેતાઓની પયગંબર પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં જેરુસલમની અલ અક્સા મસ્જિદ પર 10 જૂને હિન્દુ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ દરમિયાન ફિલીસ્તાને ઈસ્લામિક સ્કોલર નિધાલ સિયામે ગાયોની પૂજા કરનારા હિન્દુઓ વિરુદ્ધ જિહાદ શરૂ કરવાનું આહ્વાન કર્યું હતું.તેમણે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાકિસ્તાન પાસે હિન્દુઓને સબક શિખવાડવા માટે સક્ષમ સેના છે.
મુસ્લિમ દેશોને એક થયા આહ્વાન આપ્યું
ઈસ્લામિક સ્કોલર નિધાલ સિયામે કહ્યું કે, અમે અલ અક્સા મસ્જિદથી મુસ્લિમની સેનાઓને સંબોધન કરી રહ્યા છીએ, મિસ્ત્ર, તુર્કી, જોર્ડન અને તમામ મુસ્લિમ દેશોમાં અમે કહીએ છીએ કે, તમે ક્યાં છો ? શું આ તમારો ધર્મ અને પયગંબર મહોમ્મદનું સમર્થન કરવાનો યોગ્ય સમય નથી ? શું આ યોગ્ય સમય નથી કે, આપ આપના દેશને આઝાદ કરાવો ? પાકિસ્તાનના લોકો, હિન્દુઓને ટક્કર આપવામા અન્ય કોઈ દેશ કરતા આપની વધારે જવાબદારી છે.
Radical Palestinians on Al Aqsa: Hindus are filthy. Pakistan should attack Hindus.
These are the true colors of radical Islam. I stand with India against radicalism. 🇮🇳🇮🇱 #India
અહીં આપેલા વીડિયોમાં હિન્દુઓ વિરુદ્ધ મુસ્લિમ દેશોને એકજૂટ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. વીડિયોમાં કહ્યું છે કે, સૌથી પહેલા અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, ત્યાર બાદ સ્વીડને મુસ્લિમ બાળકોનું અપહરણ કર્યું. ફ્રાંસે હુમલો કર્યા, રશિયાએ ઘણી વાર હુમલાઓ કર્યા. બાદમાં ચીને ક્રાઈમ કર્યા. હવે ગાયોની પૂજા કરનારા હિન્દુઓ મસ્જિદોને ખતમ કરી રહ્યા છે. મુસ્લિમોની હત્યા કરી અને તેમના ગામ રંજાડી નાખ્યા.
આ દરમિયાન પાકિસ્તાન તરફથી હિન્દુઓ પર હુમલા કરવાનું આહ્વાન કર્યું
તેમણે કહ્યું કે, પાકિસ્તાનના લોકો આપને હિન્દુઓ સાથે લડવામાં વધારે સક્ષમ જવાબદારી નિભાવવાની છે. તેઓ(હિન્દુઓ) એકદમ આપની સરહદ નજીક છે. તેમણે તમારી જમીન હડપી લીધી છે. અને તમારા લોકોને મારી રહ્યા છે. હિન્દુઓ વિરુદ્ધ જંગ લડવા માટે મેદાન ખોલવાનો સમય આવી ગયો છે.