અક્ષય તૃતીયાનો આ ખૂબ જ શુભ અને પાવન તહેવાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તિથિ પર ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માનનારા લોકો માટે આ તહેવાર ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ દિવસ છે. અક્ષય શબ્દનો અર્થ થાય છે 'જે ક્યારેય નાશ પામતો નથી'.
જાણો આજનો દિવસ કેમ છે ખાસ
ક્યાં મંત્રના જાપ કરવા જોઈએ
ક્યારે ખરીદવું જોઈએ સોનું
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ તિથિ પર અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ અથવા અક્ષય ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર આજે એટલે કે 3 મે 2022ના રોજ મનાવવામાં આવી રહ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી એકદમ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત,ખરીદીનો યોગ્ય સમય અને મંત્રો વિશે
અક્ષય તૃતીયા શુભ મુહૂર્ત
અક્ષય તૃતીયા 3 મે 2022 મંગળવારના રોજ
અક્ષય તૃતીયા પૂજા મુહૂર્ત -સવારે 05:59 થી બપોર 12:26 સુધીનો
સમયગાળો -06 કલાક 27 મિનિટની
તૃતીયા તિથિની શરૂઆત-03 મે 2022 ના રોજ સવારે 5:18 વાગ્યાથી
તૃતીયા તિથિ સમાપ્ત -04 મે 2022ના રોજ સવારે 07:32 વાગ્યે સમાપ્ત થાય છે
અક્ષય તૃતીયાના ખરીદી મુહૂર્ત
અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો સમય 3 મે 2022ના સવારે 05:59 થી 4 મે 2022ના રોજ સવારે 7:58 વાગ્યા સુધી.
અક્ષય તૃતીયા પર બની રહ્યો છે આ ખાસ યોગ
આ વર્ષે અક્ષય તૃતીયા પર પંચ મહા યોગ બની રહ્યો છે. આજે સૂર્ય મેષમાં, ચંદ્ર કર્ક રાશિમાં, શુક્ર અને ગુરુ મીન રાશિમાં અને શનિ કુંભ રાશિમાં રહેશે. સાથે જ આ દિવસે શોભન અને માતંગ યોગ પણ બની રહ્યા છે.
અક્ષય તૃતીયા 2022ની વ્રત કથા
પૌરાણિક કથાઓ અનુસાર યુધિષ્ઠિરને અક્ષય તૃતિયાનું મહત્વ ગણાવતા ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે આ સૌથી પુણ્યમયી તિથિ છે. આ દિવસે સ્નાન, દાન, તપ અને તર્પણ કરવાથી વ્યક્તિ અક્ષય પુણ્યફળનો ભાગીદાર બને છે.
તેના વિશે એક બીજી કથા પણ છે - પ્રાચીન સમયમાં એક ગરીબ ગુણવાન અને દેવી-દેવતા ઉપર શ્રદ્ધા રાખનાર વૈશ્ય રહેતો હતો. ગરીબ હોવાને કારણે તે ખૂબ જ પરેશાન હતો. કોઈએ તેને આ વ્રત કરવાની સલાહ આપી. જ્યારે આ તહેવાર આવ્યો ત્યારે તેણે ગંગામાં સ્નાન કરી દેવી-દેવતાઓની પૂજા કરી અને ભિક્ષા આપી.આ વૈશ્ય આવતા જન્મમાં કુશાવતીનો રાજા બન્યો.અક્ષય તૃતીયા પર પૂજા-અર્ચના અને દાનના પ્રભાવને કારણે તે ખૂબ જ ધનવાન અને પ્રતાપી બની ગયો. આ બધું અક્ષય તૃતીયાના પુણ્યની અસર હતી.
અક્ષય તૃતીયા પૂજા વિધી
અક્ષય તૃતીયાના દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ.હવે ઘરમાં વિષ્ણુજીની મૂર્તિને ગંગાજળથી નવડાવો અને તુલસી,પીળા ફૂલોની માળા અથવા માત્ર પીળા ફૂલો ચઢાવો.આ પછી અગરબત્તી અને ઘીની વાટનો દીવો પ્રગટાવી પીળા આસન પર બેસી જાવ.આ ઉપરાંત વિષ્ણુ સહસ્રનામ,વિષ્ણુ ચાલીસાના પાઠ જેવા વિષ્ણુ સંબંધિત ગ્રંથોના પાઠ કરો.ત્યારબાદ છેલ્લે વિષ્ણુજીની આરતી કરો. આ સાથે આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયાનું મહત્વ
અક્ષય તૃતીયાના દિવસે મોટાભાગના શુભ કાર્યો કરવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ છે. જે વ્યક્તિ આ દિવસે ગંગામાં સ્નાન કરે છે તે ચોક્કસથી બધા પાપોથી મુક્ત થાય છે.આ દિવસે પિતૃ શ્રાદ્ધ કરવાનો નિયમ છે. બ્રાહ્મણને જવ,ઘઉં,ચણા,સત્તુ,દહીં-ચોખા,દૂધની બનાવટો વગેરે જેવી સામગ્રી પોતાના પિતૃઓ (પૂર્વજો)ના નામે દાન કરીને ભોજન આપવું જોઈએ.આ દિવસે તમારા પિતૃઓના નામ પર શ્રાદ્ધ અને તર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયાના મંત્ર
લક્ષ્મી બીજ મંત્ર- ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नमः॥
મહાલક્ષ્મી મંત્ર- ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:
લક્ષ્મી ગાયત્રી મંત્ર- ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥
ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:
ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा: