Akshaya Tritiya 2023: અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. કારણ કે તીજ હોવાની સાથે આ દિવસે અક્ષય એટલે કે ક્યારેય ક્ષય ન થાય તેવું મુહૂર્ત બની રહ્યું છે. એટલે કે જેનો ક્યારેય ક્ષરણ ન હોય અને સદા સ્થાયી રહેતા હોય.
અખાત્રીજ પર બની રહ્યો છે ખાસ યોગ
કોઈ પણ માંગલિક કાર્ય માટે છે શુભ દિવસ
જાણો આ વખતે ક્યારે છે અખાત્રીજ
કોઈ પણ શુભ કામ કરવા માટે અખાત્રીજનું મુહૂર્ત ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માંગલીક કાર્યો કરવામાં આવે છે. આ વખતે 23 એપ્રિલ રવિવારે અખાત્રીજ છે.
આ દિવસે તમે કોઈ પણ સારૂ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકો છો. કારણ કે આ દિવસે સ્વયંસિદ્ધિ મુહૂર્ત છે. આ તિથિને અક્ષય તૃતીયા કહે છે જે વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ પર આવે છે.
આ દિવસે છે સ્વયંસિદ્ધા યોગ
મુહૂર્ત ગ્રંથના અનુસાર કહેવાય છે કે આ દિવસે બધા મુહૂર્ત સ્વયંસિદ્ધિ હોય છે. આ દિવસે કોઈ પણ માંગલિક કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર વગેરે વિશે જાણકારી લેવાની જરૂરીયાત નથી રહેતી. આ દિવસે ભગવાન પરશુરામની જયંતી પણ ઉજવવામાં આવે છે.
વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં ત્રીજે જ ભગવાન પરશુરામનું પ્રાદુર્ભાવ થયો હતો. તેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. કારણ કે તીજની સાથે આ દિવસે અક્ષય એટલે કે ક્યારેય ક્ષય ન હોય તેવું મુહૂર્ત રહેવાનું છે. એટલે કે જેનું ક્યારેય ક્ષરણ ન થતું હોય અને સદા સ્થાયી રહેતા હોય.
આ દિવસે દાન હવનનું છે ખૂબ મહત્વ
આ દિવસે કૃતિકા નક્ષત્ર પણ હોય એટલે કે કૃતિકા નક્ષત્રમાં તૃતીયા યુક્ત હોય તો મળતુ ફળ ઘણ વધી જાય છે. શાસ્ત્રોની માન્યતા અનુસાર, આ દિવસે કરવામાં આવેલું દાન, હવન અને જપ વગેરે અક્ષય ફળ આપનારૂ હોય છે.
આ દિવસનું મહત્વ એટલે માટે છે પણ વધારે હોય છે કારણ કે આ દિવસે સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ પણ માનવામાં આવે છે. બે યુગોના પ્રારંભ આ દિવસે હોવાના કારણે તેને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે.