અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવવામાં આવે છે. શુભ કાર્ય કરવા માટે તે શુભ સમય માનવામાં આવે છે, એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્ય કરી શકાય છે.
જાણો ક્યારે છે અખાત્રીજ?
મુહૂર્ત જોયા વગર પણ થાય છે શુભ કામ
જાણો શું છે મહાત્મય
હિન્દુ ધર્મમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. લગ્ન, ગૃહપ્રવેશ, જનોઈ સંસ્કાર સહિત કોઈપણ શુભ કાર્ય કરવા માટે અક્ષય તૃતીયાને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.
એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્યો કરી શકાય છે. હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તીજે આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 3 મે 2022ના રોજ છે.
અક્ષય તૃતીયા 2022 શુભ મુહૂર્ત
તૃતીયા તિથિ મંગળવાર, 3 મે 2022 ના રોજ સવારે 05:19 થી શરૂ થશે અને 04 મેના રોજ સવારે 07:33 સુધી રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્ર રહેશે. રોહિણી નક્ષત્ર 04 મેના રોજ સવારે 12:34 થી 03:18 સુધી રહેશે.
જાણો અખાત્રીજનું મહાત્મય
અક્ષય તૃતીયાનો દિવસ શુભ કાર્ય કરવા માટે ખૂબ જ સારો છે. આ ઉપરાંત આ દિવસે કિંમતી વસ્તુઓ જેવી કે નવા કપડાં, ઘરેણાં, ઘર-ગાડી વગેરેની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે.
મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.