14મેના રોજ અક્ષય તૃતિયાના દિવસે જો તમે તમારી રાશિ અનુસાર કેટલીક ખાસ ચીજો ખરીદો છો તો તમે સુખ અને સમૃદ્ધિમાં ઝડપથી પ્રગતિ કરી શકો છો.
અક્ષય તૃતીયાના દિવસનું છે ખાસ મહત્વ
રાશિ અનુસાર ખરીદી લો આ ચીજો
સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો
હિંદુ ધર્મમાં શુભ કામ માટે અક્ષય તૃતિયાની તીથિનું ખાસ મહત્વ છે. વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તિથિને અક્ષય તૃતિયા કહે છે. આ વર્ષે 14મેના રોજ આ તિથિ આવી રહી છે. માન્યતા અનુસાર દાન કરવાથી વ્યક્તિને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ખાલી હાથે ભૂલથી પણ ઘરે પરત આવવું નહીં. વાહન, ઘર અને આભૂષણની ખરીદી માટે આજનો દિવસ શુભ રહેશે. તો જાણો તમારે તમારી રાશિ અનુસાર કઈ ચીજોની ખરીદી કરી લેવી જરૂરી છે.
મેષ
આ રાશિના લોકોએ આ દિવસે મસૂરની દાળ ખરીદી લેવી. આમ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
વૃષભ
આ રાશિના જાતકોએ ચોખા અને બાજરો ખરીદી લેવો. આમ કરવાથી તેનો ડબલ ફાયદો મળે છે.
મિથુન
અક્ષય તૃતિયાના દિવસે આ રાશિના જાતકોએ મગ, ધાણા, કપડાની ખરીદી કરી લેવી. આ દિવસને શુભ માનવામાં આવે છે.
કર્ક
આ રાશિના લોકોએ ખીરની ખરીદી કરવી. આ સમયે તમારા માટે આ ખરીદી શુભ રહેશે.
સિંહ
જ્યોતિષના અનુસાર આ રાશિના લોકોને માટે લાલ રંગના કપડાની ખરીદી શુભ રહે છે. આ સિવાય તાંબાના વાસણની ખરીદી કરી લેવી જરૂરી છે.
કન્યા
આ રાશિના લોકોને માટે મગની દાળ ખરીદવાનું શુભ મનાય છે. આમ કરવાથી તેમને શુભ ફળ અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.
તુલા
આ રાશિના લોકોને માટે ખાંડ અને ચોખા ખરીદવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષના અનુસાર આ ચીજોની ખરીદી શુભ માનવામાં આવે છે.
વૃશ્વિક
આ રાશિના લોકોએ પાણી અને ગોળની ખરીદી કરી લેવી. આ બંને ચીજો તમારા માટે શુભફળ આપનારી રહેશે.
ધન
આ રાશિના લોકોએ અક્ષય તૃતિયાના દિવસે કેળા અને પીળા ચોખાની ખરીદી કરવી. આમ કરવાથી શુભફળ મળી શકે છે.
મકર
અક્ષય તૃતિયાના દિવસે મકર રાશિના લોકોએ કાળી દાળની ખરીદી કરી લેવી. આ સિવાય તમે દહીં પણ ખરીદી શકો છો. આમ કરવાથી તેનો બમણો ફાયદો મળે છે.
કુંભ
આ રાશિના લોકોએ આ ખાસ અને શુભ દિવસે તલ અને કપડાની ખરીદી કરવી. તેનાથી વિશેષ ફળ મળે છે.
મીન
આ રાશિના લોકોએ હળદર અને ચણાની દાળની ખરીદી કરવી. આ સાથે ચણાની દાળ ખરીદવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.