અક્ષય તૃતીયાના પર્વ હિન્દુ ધર્મમાં અનોખું સ્થાન ધરાવે છે. આ વખતે અક્ષય તૃતીયાનું પર્વ 7 મે 2019ના દિવસે ઉજવવામાં આવશે. આ પર્વ હિન્દુ કેલેન્ડર અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે લગ્ન-શુભ કાર્ય તથા ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે.જોકે જો અક્ષય તૃતિયા તમે રાશિ અનુસાર ખરીદી કરશો તો લક્ષ્મીજી ચોક્કસથી પ્રસન્ન થશે..
મેષ:
- તાંબા અને સોનાથી બનેલી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ.
- આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે ઘઉંનું દાન કરવુ.
વૃષભ:
- ચાંદીના સિક્કા કે ચાંદીથી બનેલી કોઇ અન્ય વસ્તુ ખરીદી શકો છો.
- કોઇ ગરીબ વ્યકિતને અન્ન તથા વસ્ત્રોનું દાન કરો.
મિથુન:
- આ દિવસે ચાંદીના આભૂષણ અને નવા વસ્ત્રો ખરીદવાનું મંગળકારી માનવામાં આવે છે.
- આ રાશિના જાતકોએ મગની દાળ દાન કરવાથી શુભ ફળ મળે છે.
કર્ક:
- આ દિવસે તમારે ચાંદી અને ધાતુથી બનેલા વાસણ ખરીદવા જોઇએ.
- શિવની ઉપાસના કરવાથી આ રાશિના જાતકો માટે મંગળકારી હશે.
સિંહ:
- આ રાશિના જાતકો માટે અક્ષય તૃતિયા પર સોનાના દાગીના ખરીદવાનુ શુભ રહેશે.
કન્યા:
- આ રાશિના જાતકોએ ચાંદીના સિક્કા અને સ્ટીલના વાસણો ખરીદવા જોઇએ.
- આ સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી સારું પરિણામ મળે છે.
તુલા:
- આ રાશિના જાતકોએ ચાંદીના સિક્કા સાથે જ સફેદ અને લીલા વસ્ત્રોનું દાન કરવુ જોઇએ.
- અક્ષય તૃતીયાના દિવસે ગરીબ વ્યકિતનું સારું ભોજન કરાવો.
વૃશ્ચિક:
- તાંબાનું વાસણ ખરીદવા સાથે સોનાના આભૂષણો ખરીદવા જોઇએ.
ધન:
- સોનાના દાગીના ખરીદો અને ચણાની દાળનુ દાન કરો.
- રામચરિત માનસના પાઠ કરવા તમારા માટે મંગળકારી રહેશે.
મકર:
- આ રાશિના જાતકોએ લોખંડની ડોલનું દાન કરવું જોઇએ.
- શ્રી બંજરગાણનું પાઠ કરો અને ચાંદીના સિક્કા અને દાગીનાની ખરીદી કરો.
કુંભ:
- આ રાશિના જાતકો રૂદ્રાભિષેક કરે અને સુંદરકાડનો પાઠ કરે.
મીન:
- આભૂષણો સાથે ઘર માટે કોઇ નવા સામાનની ખરીદી કરી શકો.
- સુંદરકાંડના પાઠ કરો અને લાલ ફૂલ ચઢાવો.