બોલીવૂડના ખેલાડી કુમાર હાલમાં સૌથી વ્યસ્ત અને મોંઘા કલાકારમાંથી એક છે. પ્રમોશન દરમિયાન તેમણે એક એવો ખુલાસો કર્યો કે તમે ચોંકી જશો.
અક્ષયે ખોલી દીધી ટ્વિંકલની પોલ
કપિલના શો પર સ્વિકારી વાત
સુર્યવંશીના પ્રમોશનમાં વ્યસ્ત છે અક્ષય
કપિલ શર્મા શો પર પહોંચ્યો અક્ષય
શોમાં પહોંચેલા અક્ષયે પોતાની પત્ની ટ્વિંકલ વિશે જણાવ્યું હતુ અને જે સાંભળીને બધા જ લોકો ચોંકી ગયા હતા. શોમાં અર્ચનાએ અક્ષયને પૂછ્યું કે શું તે કિંગ સાઇઝ લાઇફ જીવે છે? તેના જવાબમાં અક્ષયે કહ્યું કે ના તે કિંગ સાઇઝ લાઇફ નથી જીવતો. ટ્વિંકલ વિશે પૂછતા જણાવ્યું કે, લગ્નની પહેલી રાત્રે જ ખબર પડી ગઇ હતી કે હું ટ્વિંકલથી ક્યારેય લડાઇમાં નહી જીતી શકું.
સવારે 4 વાગે ઉઠે છે અક્ષય
અક્ષયની લાઇફસ્ટાઇલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોથી ખુબ અલગ છે. તે મોડી રાત્રે કોઇ કામ નથી કરતો અને સવારે 4 વાગે ઉઠીને કસરત કરે છે. તેની આ લાઇફસ્ટાઇલમાં ટ્વિંકલ પણ તેનો સાથ આપે છે.
અક્ષયની માતાનું નિધન
બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું હતું. અક્ષયની માતાની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નહોતી. આ પછી તેને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયે સોશ્યલ મીડિયા દ્વારા આ માહિતી ચાહકો સાથે શેર કરી છે.
સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અક્ષયે લોકોને આપી માહિતી
બોલિવૂડના સુપર સ્ટાર અક્ષય કુમારની માતાનું નિધન થયું છે. છેલ્લા સમયમાં તેમની માતાની તબીયત ઠીક ન હતી જેથી તેમને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે અક્ષય કુમારે સોશિયલ મીડિયા તેમના ફેન્સને જાણકારી આપી કે તેમની માતાનું દુ:ખદ અવસાન થયું છે.
સમગ્ર મામલે અક્ષયે સોશિયલ મીડિયા પર સમાચાર શેર કરતા કહ્યું કે તે મારી મૂળ હતી અને આજે તે મારી પાસે નથી જેના કારણે મને અસહ્ય દર્દ થઈ રહ્યું છે. અક્ષય કુમારે કહ્યું મારી માતા મને આજે સવારે છોડીને જતી રહી અને હવે તે બિજી દુનિયામાં મારા પિતાને મળશે. સાથેજ અક્ષયે તેમના ફેન્સને એવું પણ કીધું કે તમારી બધાની પ્રાર્થનાઓનું હું સન્માન કરું છું