14-15 ફિલ્મ ફ્લોપ રહી હતી અને એટલા માટે અક્ષય કુમારે ભારત છોડી કેનેડામાં શિફ્ટ થવાનો નિર્ણય કરી લીધો હતો.
અક્ષય કુમાર વારંવાર ટ્રોલનો નિશાનો બનતા રહે છે
અક્ષય કુમારે ભારત છોડી બીજા દેશમાં શિફ્ટ થવાનો નિર્ણય કરી લીધો હતો
લોકો મને કેનેડા કુમાર કહે છે અને મને એ વાતથી કોઈ ફરક નહીં પડતો
એક્ટર અક્ષય કુમાર વારંવાર ટ્રોલનો નિશાનો બનતા રહે છે. હાલમાં જ અક્ષય કુમાર ફરી એક વખત ટ્રોલરને નિશાને ચઢ્યા છે અને આ વખતે લોકો એમને ફરી એક વખત 'કેનેડા કુમાર' કહીને ટ્રોલ કરી રહ્યા છે. ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતાની લિસ્ટમાં અક્ષય કુમારનું નામ શામેલ છે પણ શું તમને ખબર છે કે તેમની પાસે કેનેડાની પણ નાગરિકતા છે. વર્ષ 2019માં એમને કેનેડાની નાગરિકતા મેળવવા માટે આવેદન કર્યું હતું અને તેને મળી પણ ગઈ હતી.
કેનેડા જવાનું મન બનાવી ચૂક્યા હતા ખેલાડી કુમાર
અક્ષય કુમારના કહેવા મુજબ એક સમય એવો આવ્યો હતો જ્યારે તેની ફિલ્મો નહતી ચાલતી. કઇંક 14-15 ફિલ્મ ફ્લોપ રહી હતી અને એટલા માટે તેને ભારત છોડી બીજા દેશમાં શિફ્ટ થવાનો નિર્ણય કરી લીધો હતો. અક્ષયનું કહેવું છે કે, ' ઘણા લોકો કેનેડા કામ માટે જાય છે પણ ભારતીય જ રહે છે. એ સમયે કિસ્મત મારો સાથ નહતી આપી રહી તો મેં ત્યાં શિફ્ટ થવાનું વિચાર્યું હતું અને નાગરિકતા માટે આવેદન કર્યું અને મને મળી પણ ગઈ હતી.'
'હું ભારતીય જ છું '
આગળ અક્ષયે કહ્યું હતું કે, 'પણ સફળતા મળ્યા પછી કેનેડા જવાનો વિચાર મેં બદલી નાખ્યો હતો. હું ભારતમાં જ રહું છું અહિયાં જ કામ કરું છું અને અહિયાં જ ટેક્સ પે કરું છું. મારી પાસે કેનેડામાં ટેક્સ પે કરવાનો ઓપ્શન છે પણ હું ભારતીય છું અને અહિયાં રહું છું એટલે અહિયાં જ ટેક્સ ચૂકવું છું. હું બસ બધાને આટલું જ કહેવા માંગીશ કે હું ભારતીય છું અને હંમેશા ભારતીય જ રહીશ.'
અક્ષય કુમાર ઘણી વખત આ વાતને કારણે ટ્રોલ થાય છે અને દર વખતે ખેલાડી કુમાર ટ્રોલર્સને ચૂપ કરાવવા જવાબ પણ આપે છે. હાલ જ કોફી વિથ કરણમાં પણ એમને આ વાત પર કહ્યું હતું કે 'લોકો ટ્રોલ કરવા માટે એકને એક મુદ્દો ઉઠાવે છે અને મારી પાસે કેનેડાની નાગરિકતા છે એ વિશે જ લખે છે અને મને કેનેડા કુમાર કહે છે. ઠીક છે મને કોઈ ફરક નહીં પડતો. દર વખતે હું ભારતીય છું એની સાબિતી મારે આપવી પડે છે.'