અક્ષય કુમાર પોતાની ફિલ્મોથી જેટલી કમાણી કરે છે, તેટલુ જ દાન પણ કરતો હોય છે.
અક્ષય કુમારની દરિયાદિલીની ચર્ચા તો ચારેયતરફ થાય છે, ખિલાડી કુમાર પોતાની કમાણીનો ઘણો ભાગ શહીદોના પરિવાર અને મદદરૂપીને દાન કરે છે. તાજેતરમાં જ અક્ષય કુમારે અસમમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત થયેલા લોકો 2 કરોડ રૂપિયાનું દાન કર્યુ હતુ.
થોડા સમય પહેલા અક્ષય કુમારે આસામના મુખ્યમંત્રી રિલીફ ફંડ અને કાઝીરંગા નેશનલ પાર્કમાં 1-1 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી હતી. હવે અક્ષય કુમારને જ્યારે એક પૂછવામા આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, ''જ્યારે અસમના સીએમનું મારી પાસે ફોન આવ્યો તેમણે કહ્યુ કે તમારા ડોનેશન પછી ઘણા લોકોએ દાન કર્યુ, આ સાંભળીને મને ઘણો આનંદ થયો.''
ખિલાડી કુમારે આગળ કહ્યુ કે, ''આવા મુશ્કેલીના સમયે બધા એકસાથે આવવુ જોઇએ. તમે 2 રૂપિયાથી લઇને 5 લાખ રૂપિયા સુધીનું દાન કરી શકો છો. મારુ માનવુ છે ભગવાને ઘણુ આપીયુ છે, આ માટે હું વિચાર્યા વગર દાન કરુ છું. ક્યાં લઇને જવાના છે રૂપિયા.''
#MissionMangal is trending very well on weekdays... Should comfortably cross ₹ 127 cr in *extended* Week 1... Will challenge *lifetime biz* of #Kesari in Week 2... Thu 29.16 cr, Fri 17.28 cr, Sat 23.58 cr, Sun 27.54 cr, Mon 8.91 cr, Tue 7.92 cr. Total: ₹ 114.39 cr. India biz.
તમને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થઇ છે. અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કૃતિ કુલ્હારી સ્ટારર ફિલ્મે પાંચ દિવસને અંતે અંદાજે 127 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ આ ફિલ્મ અક્ષય કુમારનાં કરિયરની સૌથી ઝડપથી 100 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ બની ગઈ છે.ફિલ્મના સોમવારના 8.50 કરોડ રૂપિયાના બોક્સઓફિસ કલેક્શન સાથે ફિલ્મની કુલ કમાણી 107 કરોડ રૂપિયાના આંકડાં પર પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે,આ પછી અક્ષયની ફિલ્મ હાઉસફૂલ 4, ગુડ ન્યૂઝ, સૂર્યવંશી, લક્ષ્મી બોમ્બ, બચ્ચન પાંડે અને પૃથ્વી રાજ ચૌહાણ લાઇનમાં છે. પોતાની આ ફિલ્મો વિશે વાત કરતા અક્ષયે કહ્યુ કે, ''આ ફિલ્મો ચાલી ગઇ તો સારું, નહીં તો હું કઇ ના કરી શકું.''