હાલ કોરોના વાયરસને કારણે અફવાઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે હાલમાં જ બોલિવૂડના અક્ષય કુમાર તેની બહેનને લઈને ઉડી રહેલી અફવા પર ભડક્યો છે. અક્ષયે તેની બહેન અલ્કા ભાટિયા અને તેના બે દિકરાઓને મુંબઈથી દિલ્હી મોકલવા માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે એક્ટરે આ ન્યૂઝને ફેક ગણાવી છે અને લીગલ એક્શન લેવાથી વાત કહી છે.
બહેનને લઈને વાયરલ થઈ રહેલાં સમાચારો પર અક્ષય કુમાર ભડક્યો
અક્ષયે લીગલ એક્શન લેવાની આપી ધમકી
બહેન અને તેના બાળકોને દિલ્હી મોકલવા આખી ફ્લાઈટ બુક કરાવવા અંગે એક્ટરે કરી સ્પષ્ટતા
અક્ષયે આ ફેક ન્યૂઝ અંગે તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું- મારી બહેન અને તેના બે બાળકો માટે એક ચાર્ટર ફ્લાઈટ બુક કરાવવાના ન્યૂઝ શરૂઆતથી લઈને અંત સુધી એકદમ ખોટાં છે. તેણે લોકડાઉન બાદ કોઈ જગ્યાએ યાત્રા કરી નથી અને તેને માત્ર એક જ બાળક છે. આવા ખોટાં સમાચારો વિરુદ્ધ હું લીગલ એક્શન લેવાનું વિચારી રહ્યો છું. ફેક ન્યૂઝએ હવે હદ પાર કરી દીધી છે.
This news about me booking a charter flight for my sister and her two kids is FAKE from start to end.She has not travelled anywhere since the lockdown and she has only one child!Contemplating legal action,enough of putting up with false, concocted reports! https://t.co/iViBGW5cmE
સમાચારોમાં જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર કોરોના વાયરસ દરમિયાન કોઈપણ રિસ્ક લેવા માગતો નહોતો જેથી તેણે આખી ફ્લાઈટ બુક કરી દીધી. મુંબઈથી દિલ્હી માટે બુક કરવામાં આવેલી આ ફ્લાઈટમાં માત્ર ચાર લોકોએ મુસાફરી કરી. જેમાં તેની બહેન અલ્કા ભાટિયા અને તેના બે બાળકો અને તેની મેડ સામેલ છે. આવા ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યાં છે.
ત્યારે સરકાર દ્વારા જારી કરાયેલી ગાઈડલાઈન અનુસાર ફ્લાઈટમાં યાત્રા દરમિયાન કોઈપણ યાત્રીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં નહીં આવે. વિમાનને સેનિટાઈઝ કરવામાં આવશે અને કોવિડ-19ને લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ત્યારે અક્ષય કુમારને લઈને વાયરલ થઈ રહ્યાં આવા સમાચારથી એક્ટર ખૂબ ભડક્યો છે. સાથે તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારે કોરોના સામેની જંગમાં ઘણું યોગદાન આપ્યું છે. તેણે પીએમ કેર ફંડમાં 25 કરોડ, બીએમસીમાં 3 કરોડ રૂપિયા અને સિન્ટામાં 45 લાખ રૂપિયા ડોનેટ કર્યાં છે.