બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજકાલ સતત વ્યસ્ત રહેવા છતાં તાજેતરમાં તેને મહારાષ્ટ્રના પાણીની ટંચાઇવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને તળાવ ખોદવાના કાર્યમાં મદદ કરવાની તૈયારી દાખવી હતી.
આ પહેલા મહારાષ્ટ્ર રાજ્યના ૭૫થી વધુ જિલ્લાઓમાં પાણી બચાવ અને પાણી સંવર્ધનનાં કાર્યોમાં આમિર ખાન મોખરે રહ્યો હતો. ત્યારબાદ હવે કાર્યમાં અક્ષય કુમારે હાથ લંબાવ્યો છે.
અક્ષય કુમારે સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકામાં આવેલા પિંપોડ બદ્રુક નામના નાનકડા ગામની મુલાકાત લીધી હતી. તાજેતરમાં તે કરણ જોહરની કેસરી ફિલ્મ કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ બેટલ ઓફ સારગઢીના નામથી જાણીતી બાબત પર આ ફીલ બનાવવામાં આવી રહી છે. જેનું શૂટિંગ વાઇ વિસ્તારમાં ચાલી રહ્યું છે. સતત ચાલી રહેલા શૂટિંગ વચ્ચે સમય કાઢીને અક્ષય આ ગામમાં પહોંચ્યો હતો.
અક્ષય કુમાર વરસાદના પાણીના સંગ્રહ માટે તળાવના ખોદકામમાં કોદાળી લઇને કામે લાગ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. આ અગાઉ અક્ષયે મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટી રકમની મદદ પણ મોકલી હતી. ત્યારબાદ એણે નક્સલવાદીઓ સામે લડતાં શહીદ થયેલા SRPFના જવાનોના પરિવારોને મદદ પણ કરી હતી.