અક્ષય કુમારે હેરાફેરી 3માં કામ નહીં કરવાને લઇને પોતાનુ મૌન તોડ્યુ છે. અભિનેતાએ ફિલ્મ છોડવાનુ કારણ જણાવી પ્રશંસકો પાસેથી માફી પણ માંગી છે.
હેરા ફેરી 3ને લઇને અક્ષય કુમારે કર્યો મોટો ખુલાસો
અક્ષય કુમારે જાતે છોડી હેરાફેરી 3!
પ્રશંસકો પાસેથી માફી પણ માંગી
અક્ષય કુમારે હેરા ફેરી 3ને લઇને મૌન તોડ્યુ
બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની વર્ષ 2022માં ઘણી ફિલ્મો રીલીઝ થઇ. પરંતુ તે ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ ધમાલ મચાવી શકી નથી. છેલ્લાં ઘણા દિવસોથી ફિલ્મી દુનિયામાંથી અહેવાલ આવી રહ્યાં હતા કે હેરા ફેરી ફ્રેન્ચાઈજીની ત્રીજી ફિલ્મ ટૂંક સમયમાં શરૂ થવાની છે અને તેમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનને લેવામાં આવી રહ્યો છે. જ્યારથી આ અહેવાલ સામે આવ્યાં છે તો સોશિયલ મીડિયામાં અજબ-ગજબ રિએક્શન જોવા મળ્યાં છે. હેરા ફેરી 3ને લઇને અત્યાર સુધી અક્ષય કુમારે પોતાનુ મૌન તોડી ઘણા મોટા ખુલાસા કર્યા છે.
અક્ષય કુમાર નથી હેરાફેરીનો ભાગ
અક્ષય કુમાર પહેલા પરેશ રાવલ આ વાત કન્ફર્મ કરી ચૂક્યા છે કે ખેલાડી અક્ષય કુમાર હેરાફેરી સીરીઝના ત્રીજા ભાગમાં ભાગ નહીં લે. હવે અક્ષય કુમારે તેને માની લીધુ છે. હાલમાં અક્ષય કુમારે એક કાર્યક્રમમાં હેરાફેરી 3ને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું, આ નિર્ણય તેમનો અને નિર્માતાની વિચારધારા અલગ હોવાના કારણે આવ્યો છે. અભિનેતાએ સાથે જણાવ્યું હેરાફેરી મારો ભાગ રહી છે અને આ ફિલ્મ સાથે મારી આનંદીત યાદો જોડાયેલી છે. મને પણ દુખ થાય છે કે આટલા વર્ષોથી આ ફિલ્મ બની નથી, એટલેકે ત્રીજો પાર્ટ નહીં બની શક્યો હોય. અક્ષય કુમારે આ સાથે કહ્યું, આપણે અલગ રીતે વિચારવાનુ શરૂ કરવુ પડશે.