બોલિવુડ એક્ટર અક્ષય કુમારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે નૉન પોલિટિકલ ઇન્ટરવ્યૂના કારણે ચર્ચામાં છે. આ વચ્ચે ચોથા તબક્કાના વોટિંગ પછી તેની નાગરિકતાને લઇને સવાલ થઇ રહ્યા છે. અક્ષયને ચૂંટણી દરમિયાન વોટ ના કરવા પર સવાલ કરવામાં આવ્યો તો એક્ટરે કોઇ જવાબ આપ્યો ન હતો.
હવે સોશ્યલ મીડિયા પર અક્ષયની નાગરિકતાને લઇને ચર્ચા થઇ રહી છે, ત્યારે એક ટ્વિટર પોસ્ટ કરીને અક્ષયે પોતાની વાત મૂકી. અક્ષય કુમારે ટ્વીટમાં લખ્યુ કે, સાત વર્ષથી કેનેડા નથી ગયો અને નાગરિકતા પર સવાલ થઇ રહ્યા છે તે દુખી છે.
અક્ષય કુમારે પોતાની ટ્વિટર પોસ્ટમાં લખ્યુ છે કે, ''મને સમજ નથી આવતુ કે મારા સિટિઝનશિપને લઇને આટલી નકારાત્મકતા કેમ છે? મેં ક્યારેય આ વાત નથી છુપાવી અને માન્યુ છે કે મારા પાસે છે કેનેડાનો પાસપોર્ટ છે. જોકે હું છેલ્લા સાત વર્ષોથી કેનેડા નથી ગયો. હું ભારત માટે કામ કરું છું અને ભારત માટે જ ટેક્સ આપું છું.''
એક્ટરે લખ્યુ કે, ''જ્યાં આટલા વર્ષો સુધી ભારતને લઇને મારો પ્રેમ સાબિત કરવા માટે કોઇ જરૂર નથી પડી ત્યારે હું એ વાતને લઇને નિરાશ છું કે મારા સિટિઝનશિપના મુદ્દાને કારણે વિવાદ થઇ રહ્યો છે કે સંપૂર્ણ રીતે એક પર્સનલ, લીગલ, નૉન પોલિટિકલ મુદ્દો છે જે કોઇના માટે મહત્વ નથી. છેલ્લે હું કહીશ કે મેં તમામ મુદ્દાઓ પર મારી રીતે કામ કરીશ જે મારાથી નજીક છે અને ભારતને વધારે સારું અને શક્તિશાળી બનાવવા માટે મારું યોગદાન આપીશ.''
અક્ષય કુમારેને દેશભક્તિ ફિલ્મોનો પોસ્ટરબૉય પણ કહેવાય છે, તેના પર ભાજપને સપોર્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પીએમ મોદી સાથે તેમના સારા સંબંધો સતત ચર્ચામાં રહે છે.