અક્ષય કુમારે ફિલ્મ ધ કશ્મિર્ફાઇલ્સનાં પેટભરીને વખાણ કર્યા છે અને સાથે એમ પણ ઈશારો કર્યો છે કે તેમની ફિલ્મને ધ કશ્મીર ફાઈલ્સે ડૂબાડી દીધી છે. જુઓ આ વીડિયો
અક્ષય કુમારે કર્યા 'ધ કશ્મીર ફાઈલ્સ' નાં વખાણ
વિવેક અગ્નિહોત્રીએ આપી પ્રતિક્રિયા
અક્ષયે પીએમ મોદીનાં કર્યા વખાણ
અક્ષય કુમારે કર્યા 'ધ કશ્મીર ફાઈલ્સ' નાં વખાણ
બોલિવુડનાં ખિલાડી અક્ષય કુમાર નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'થી ઘણા પ્રભાવિત થયા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી ચુકી છે. ફિલ્મમાં વર્ષ 1990માં ઘાટીથી કશ્મીરી પંડિતોનાં નરસંહારનાં દુઃખને દર્શાવવામાં આવ્યું છે. બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે હાલમાં જ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીનાં વખાણ કર્યા હાતા અને સાથે જ મજાક મજાકમાં એ પણ કહી દીધું હતું કે ધ કશ્મીર ફાઈલ્સે તેમની ફિલ્મને ડુબાડી દીધી.
ભોપાલમાં થયેલ ચિત્ર ભારતી ફિલ્મોત્સવ 2022 સમારોહના ઉદ્ધાટનમાં અક્ષય કુમાર પહોંચ્યા હતા, જ્યાં તેમણે 'ધ કશ્મીર ફાઈલ્સ'નાં ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીનાં પેટભરીને વખાણ કર્યા હતા. અક્ષય કુમારે કહ્યું કે વિવેક અગ્નિહોત્રીએ 'ધ કશ્મીર ફાઈલ્સ'માં દેશનાં સૌથી વધારે દુઃખદાયક સત્યને દર્શાવ્યું છે.
અક્ષયે ફિલ્મના વખાણ કરતા કહી આ વાત
અક્ષય કુમારે ફિલ્મનાં વખાણ કરતા કહ્યું કે આ ફિલ્મ એક એવી લહેર બનીને આવી છે કે જેણે સૌને ડગાવી મુક્યા છે. એક્ટરની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા લોકો જોરજોરથી હસવા લાગ્યા.
વિવેક અગ્નિહોત્રીનું રિએક્શન
અક્ષયનાં વખાણ સાંભળ્યા બાદ વિવેક અગ્નિહોત્રીએ તેમનો વીડિયો શેર કરતા તેમણે ધન્યવાદ કહ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો છે. જુઓ આ વીડિયો
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 25, 2022
પીએમ મોદીનાં કર્યા વખાણ
અક્ષય કુમારે કહ્યું કે સિનેમા મનોરંજનનું માધ્યમ છે, પરંતુ તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન જ હોય, એ જરૂરી નથી. અમુક ફિલ્મો સત્ય પણ દર્શાવી શકે છે અને સામાજિક સંદેશ પણ આપે છે. અક્ષય કુમારે પોતાની ફિલ્મ ટોયલેટ - એક પ્રેમ કથાની પણ વાત કરી. તેમણે કહ્યું કે આ દેશે 70 વર્ષથી એવા પ્રધાનમંત્રીની રાહ જોઈ છે, જે એ કહી શકે કે ઘરમાં ટોયલેટ હોવા જોઈએ. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વચ્છતા અભિયાનને કારણે આજે આ મહત્વપૂર્ણ મુદ્દા વિષે જાગરૂકતા આવી છે.