બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુ પહેલા જ વિવાદમાં, ભાજપના નેતા ફિલ્મના મુખ્ય અભિનેતા અક્ષય કુમાર સામે કેસ દાખલ કરશે
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં
'રામ સેતુ' ફિલ્મમાં રામ સેતુના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો: સુબ્રમણ્યમ સ્વામી
સુબ્રમણ્યમ સ્વામીએ પોતે ફિલ્મની સ્ટારકાસ્ટ પર કેસ કરવાની માહિતી આપી
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ' ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ 'રામ સેતુ' રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ હવે કાયદાકીય લડાઈનો સામનો કરશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના એક્ટર અક્ષય કુમાર વિરુદ્ધ કેસ દાખલ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વળતરની માંગ સાથે કેસ દાખલ કરશે. તેમનો દાવો છે કે ફિલ્મમાં 'રામ સેતુ'ના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતે ફિલ્મની સ્ટારકાસ્ટ પર કેસ કરવાની માહિતી આપી છે.
અક્ષય કુમાર સામે દાખલ થશે કેસ ?
બીજેપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અભિનેતા અક્ષય કુમાર વિરુદ્ધ કેસ દાખલ કરશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે, ફિલ્મમાં રામ સેતુના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેઓ દાવો કરે છે કે તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે.
The suit for compensation has been finalised by my associate Satya Sabharwal Adv. I am suing Akshay Kumar, actor & Karma Media for damages cause by falsification in portrayal of the Ram Setu issue in their film for release.
પોતાના ટ્વિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું- 'મારા સહયોગી એડવોકેટ સત્ય સભરવાલ દ્વારા વળતરનો કેસ ફાઇનલ કરવામાં આવ્યો છે. હું અભિનેતા અક્ષય કુમાર અને કર્મા મીડિયા સામે તેમની ફિલ્મમાં રામ સેતુ મુદ્દાના ખોટા ચિત્રણને કારણે થયેલા નુકસાન માટે દાવો કરી રહ્યો છું.
If Actor Akshay Kumar is a foreign citizen then we can ask he be arrested and evicted his adopted country.
નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં જ ફિલ્મ રામ સેતુનું પોસ્ટર વાયરલ થયું હતું. અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં અક્ષય કુમાર સાથે જેકલીન અને સત્યદેવ જોવા મળી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે આ ત્રણેય કલાકારો એક ઐતિહાસિક સ્થળ પર જોવા મળે છે. આ ત્રણેય એક ગુફાની અંદર દેખાય છે, જેની દિવાલ પર વિચિત્ર નિશાન છે. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ આ વર્ષે 2022ની દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવી છે. પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે.