કોરોનાને કારણે દુનિયાભરમાં સતત લોકો ભયના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે. દેશ માટે પણ આ અત્યારે સંકટનો સમય છે. 21 દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે, આજ કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. દરરોજ કમાતા મજૂરીને રોજીરોટીને લઇને સતત સવાલો થઇ રહ્યા છે. એવામાં સરકાર આ પરિસ્થિતમાં લડવા માટે પગલા ઉઠાવી રહી છે.
નાણું એકઠું કરવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા PM-CARES ફંડ (પ્રધાનમંત્રી સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ) શરૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ ટેક્સ પે કરનાર એક્ટર અક્ષય કુમાર દેશ હિત માટે ઘણું દાન કરે છે. હવે તેણે કોરોના વાઇરસ સામે લડવા માટે પીએમ ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.
This is that time when all that matters is the lives of our people. And we need to do anything and everything it takes. I pledge to contribute Rs 25 crores from my savings to @narendramodi ji’s PM-CARES Fund. Let’s save lives, Jaan hai toh jahaan hai. 🙏🏻 https://t.co/dKbxiLXFLS
અક્ષય કુમારે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યુ કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.
આ મહામારી સામે લડવા માટે ઘણા સેલેબ્સ આર્થિક સહાય કરી રહ્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્માએ પીએમ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને 20 લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. પ્રભાસે 4 કરોડ રૂપિયા, પવન કલ્યાણે 2 કરોડ, રામ ચરણે 70 લાખ, ચિરંજીવીએ 1 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા, અલુ અર્જુને સવા કરોડ રૂપિયા,અને રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા છે.