સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ડ્રગ કનેક્શન આવ્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને 14 દિવસની જેલની સજા કરવામાં આવી છે. જેલમાં ગયા બાદ રિયા ચક્રવર્તીના સપોર્ટમાં અનેક હસ્તીઓ સામે આવી છે. જેમાં સોનમ કપૂર, શિબાની દાંડેકર, રાધિકા મદાન જેવા નામ સામેલ છે. અત્યાર સુધી આ મામલે મૌન રહેલી ટ્વિંકલ ખન્ના પણ રિયા ચક્રવર્તીનું સમર્થન કરતી જોવા મળી રહી છે. ટ્વિંકલ ખન્નાએ રિયા ચક્રવર્તીની મીડિયા ટ્રાયલને દોષી ઠેરાવી છે. જેને લઈને હવે લોકો અક્ષય કુમાર પર નિશાન સાધી રહ્યાં છે.
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને 14 દિવસની જેલની સજા કરવામાં આવી છે
ત્યારે ઘણી બોલિવૂડ હસ્તીઓ તેના સપોર્ટમાં આવી છે
હવે ટ્વિંકલ ખન્ના પણ રિયાનો સપોર્ટ કરતા જોવા મળી રહી છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક કોલમમાં લખ્યું છે-એવું લાગી રહ્યું છે કે, સ્ટેજ પર કોઈ એન્ટરટેનર લોકોનું મનોરંજન કરવા માટે જાદુ દેખાડી રહ્યો છે. પરંતુ લોકો એ વાતથી અજાણ છે કે તેમની વાતો સાચી હોતી નથી. ખબર નહીં કેમેરા બંધ થયા બાદ આ એન્કર પોતાને શું કહેતા હશે. મીડિયા રિયાને લઈને એવા સમાચારો ચલાવી રહ્યું છે, જે હાથ-પગ વિનાની જાણકારી છે.
ટ્વિંકલ ખન્નાએ રિયા ચક્રવર્તીનું સમર્થન કર્યું તો સુશાંતના ફેન્સને પસંદ નથી આવી રહ્યું. અભિનેત્રીના આ નિવેદન પછી હવે દરેક અક્ષય કુમારને નિશાન બનાવી રહ્યાં છે. યુઝર્સે અક્ષય કુમારને પૂછવાનું શરૂ કર્યું છે કે આખરે સુશાંતના મોતને આટલો સમય વીતી ગયા પછી પણ અક્ષય કુમાર શા માટે ચુપ છે. લોકો પૂછી રહ્યાં છે કે શું ટ્વિંકલ ખન્ના આવી વાતો કરીને અક્ષય કુમારનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી બાજુ શિવસેના સાથે કંગના રનૌતના વિવાદ પર પણ અક્ષય કુમાર શાંત છે. આવી સ્થિતિમાં સંજય રાઉતે અક્ષય કુમાર પર નિશાન સાધ્યું છે અને રાઉતે કહ્યું હતું - 'હિન્દી ફિલ્મ જગતના ઓછામાં ઓછા અડધા લોકોએ મુંબઈના અપમાનનો વિરોધ કરવા આગળ આવવું જોઈએ. કંગનાનો અભિપ્રાય આખા ફિલ્મ જગતનો અભિપ્રાય નથી, એવું કહેવું જોઈતું હતું. કંઈ નહીં તો અક્ષય કુમાર જેવા મોટા કલાકારોએ સામે આવવું જોઈતું હતું.