વર્ષમાં ચાર પાંચ ફિલ્મો કરતાં અક્ષય કુમાર એક સમયે બોક્સ ઓફિસ પર રાજ કરતાં હતા અને હાલ એમની ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ રહી છે.
અક્ષય કુમારની છેલ્લી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી નથી
ફિલ્મો હિટ નથી જઈ રહી એ અમારી જ ભૂલ છે - અક્ષય કુમાર
આવનરી ફિલ્મ OTT રિલીઝ થશે
બોલીવુડના ખેલાડી કુમાર કહેવાતા અક્ષય કુમારની છેલ્લી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી નથી. તેમની છેલ્લી ત્રણ ફિલ્મો સારી કમાણી કરી શકી નથી. વર્ષમાં ચાર પાંચ ફિલ્મો કરતાં અક્ષય કુમાર એક સમયે બોક્સ ઓફિસ પર રાજ કરતાં હતા અને હાલ એમની ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ રહી છે. પાછલી થોડી ફિલ્મો હિટ ન રહી એ વિશે વિચારણા કરીને આવનારી ફિલ્મને કેવી રીતે હિટ કરાવવી એ વિશે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે, 'ફિલ્મો હિટ નથી જઈ રહી એ અમારી જ ભૂલ છે અને મારે હવે તેમાં બદલાવ કરવો પડશે. મારે સમજવું પડશે કે દર્શકોને શું જોઈએ છીએ.'
આવો કરશે બદલાવ
અક્ષય કુમારની છેલ્લી ત્રણ ફિલ્મ 'બચ્ચન પાંડે' 'સમ્રાટ પૃથ્વીરાજ' અને 'રક્ષા બંધન' બોક્સ ઓફિસ પર કોઈ કમાલ બતાવી શકી નથી. એ વિશે વિચારણા કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે, 'હું હવે બદલાવ કરવા માંગુ છું, હું મારી કામ કરવાની રીત બદલીશ, જે રીતે હું વિચારું છું એ રીત પણ બદલીશ, જેવી ફિલ્મો હું કરું છું એમાં પણ ફેરફાર કરીશ. હું કોઈને દોષ નથી આપતો પણ હવે હું બદલીશ.' શનિવારે અક્ષયે તેની આવનારી ફિલ્મ 'કઠપૂતલી' ના ટ્રેલર લોન્ચ સમયે આ વાત કહી હતી. એ ટ્રેલર લોન્ચમાં અક્ષય સાથે રકુલ પ્રીત સિંહ, સરગુન મહેતા, ચંદ્રચૂર સિંહ, જેકી ભાગનાની જેવા ઘણા લોકો શામેલ થયા હતા.
આવનારી ફિલ્મ પર આ વાત કહી
OTT રિલીઝ માટે 'કઠપૂતળી'ની પસંદગી વિશે વાત કરતાં નિર્માતા જેકી ભગનાનીએ કહ્યું, "ફિલ્મને OTT પર રિલીઝ કરવા માટે એ રીતે જ ડિઝાઇન કરવામાં આવી હતી. અમને ખાતરી હતી કે ફિલ્મ ડિજિટલ રીતે જ રિલીઝ થશે." "ફિલ્મની શરૂઆતથી અમે જાણતા હતા અને અમે આ વાર્તાને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માગીએ છીએ અને ડિઝની આ ફિલ્મ માટે બેસ્ટ પ્લેટફોર્મ છે. આ ફિલ્મની રિલીઝ અંગે અમને કોઈ મૂંઝવણ ન હતી. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની નહતી. અમે તેને OTT રિલીઝ માટે પ્લાન કરી હતી અને બનાવી હતી, અમારે માત્ર એ શોધવાનું હતું કે કયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવી અને અમને એ મળી ગયું." આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 2 સપ્ટેમ્બરે પ્રીમિયર થશે.