બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે હાલમાં જ બિહારના એક યૂટ્યૂબર પર 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. યૂટ્યૂબર પર આરોપ છે કે, તેણે 'FF News' નામની યૂટ્યૂબ ચેનલ પર મુંબઈ પોલીસ, આદિત્ય ઠાકરે અને અક્ષય કુમાર વિરૂદ્ધ ખોટી જાણકારી અને અપમાનજનક વીડિયો પોસ્ટ કર્યા હતા. એટલું જ નહીં યૂટ્યૂબરે સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ તેના વિશેની ખોટી જાણકારી આપતા વીડિયો અપલોડ કર્યા હતા, જેનાથી તેને 15 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. હવે આ મામલો સામે આવતા મુંબઈ પોલીસે યૂટ્યૂબર સામે કેસ કર્યો છે, જોકે, પછી તેને શરતી જામીન પર છોડી દેવામાં આવ્યો.
અક્ષય કુમારે એક યૂટ્યૂબર પર 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો
યૂટ્યૂબરે અક્ષયને લઈને ખોટી જાણકારી આપતો વીડિયો કર્યો શેર
યૂટ્યૂબરે સુંશાત અને અક્ષયને લઈને બનાવ્યો હતો વીડિયો
તમને જણાવી દઈએ કે, બિહારના 25 વર્ષીય યૂટ્યૂબર રશિદ સિદ્દીકી પ્રોફેશનથી સિવિલ એન્જિનિયર છે. આ મામલો સામે આવતા શિવસેનાના લીગલ સેલ વકીલ ધર્મેદ્ર મિશ્રાએ રશિદ વિરૂદ્ધ કેસ કર્ય. જે બાદ મુંબઈ પોલીસે રશિદ સામે માનહાનિ, પબ્લિક મિસચીફ અને ઇરાદાપૂર્વક કોઈનું અપમાન કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જોકે કોર્ટે આ શરતે રાશિદને જામીન આપી દીધા છે કે તે પોલીસ તપાસમાં સહકાર આપશે.
અક્ષયે કેમ નોટિસ મોકલ્યું
રશિદે તેની યૂટ્યૂબ ચેનલ પર અક્ષય કુમાર વિરૂદ્ધ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે અક્ષય સુશાંતને એમએસધોની ફિલ્મ મળવા પર નાખુશ હોવાની વાત કહી હતી. એટલું જ નહીં સુશાંતની મોત મામલે તેણે આદિત્ય ચોપડા સાથે સીક્રેટ મીટિંગ પણ કરી હતી અને રિયાને કેનેડા મોકલવામાં મદદ કરી હતી. હવે આખો મામલો સામે આવ્યા બાદ અક્ષયે રશિદ પર માનહાનિનો કેસ કર્યો છે.
આ અંગે સીનિયર આઈપીએસ ઓફિસરે કહ્યું- સુશાંતની મોત લોકો માટે પૈસા કમાવવોનો રસ્તો બની ગયો, કારણ કે લોકો આ કેસમાં ઈન્ટરસ્ટ લઈ રહ્યયાં હતા. મીડિયાને કારણે યૂટ્યૂબર્સને પણ ફેક કન્ટેન્ટ નાખવાનો મોકો મળી ગયો. તેમણે મુંબઈ પોલીસની છાપ ખરાબ કરી અને પૈસા કમાવ્યા.