ગૌતમે ટ્વીટ પર જાણકારી આપતા અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો. આપને જણાવી દઇએ કે, મુશ્કેલીના સમયમાં ગૌતમનું ફાઉન્ડેશન લોકોને મદદ કરી રહી છે.
ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને માન્યો આભાર
Every help in this gloom comes as a ray of hope. Thanks a lot @akshaykumar for committing Rs 1 crore to #GGF for food, meds and oxygen for the needy! God bless 🙏🏻 #InThisTogether@ggf_india
ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું, આ સમયમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. #GGF ફાઉન્ડેશનને 1 કરોડ રૂપિયાનું દાન આપવા માટે ધન્યવાદ અક્ષય કુમાર. આ નિર્ણયથી જરૂરીયાતમંદ લોકોને જમવાનું, ઓક્સિજન અને દવાની મદદ મળી શકશે.
અક્ષય કુમારે આપ્યો આભાર
ત્યારબાદ અક્ષય કુમારે જવાબ આપતા ટ્વીટ કર્યું હતું. આ બહું કપરી સમસ્યા છે. મને ખુશી છે કે, હું મદદ કરી શકીશ. પ્રાર્થના કરું છું આ સંકટથી આપણે ઝડપથી બહાર આવીએ. સુરક્ષિત રહીએ..
Every help in this gloom comes as a ray of hope. Thanks a lot @akshaykumar for committing Rs 1 crore to #GGF for food, meds and oxygen for the needy! God bless 🙏🏻 #InThisTogether@ggf_india
આપને જણાવી દઈએ કે, અક્ષય હંમેશાં સંકટની ઘડીમાં મદદ કરવા માટે સામે આવે છે. ગયા વર્ષે તેમણે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ, મુંબઈ પોલીસ ફાઉન્ડેશન દ્વારા 2 કરોડનું દાન પણ આપવામાં આવ્યું. તેમણે આસામના પૂર પીડિતોને પણ મદદ કરી છે. આ સિવાય, ઘણા પ્રસંગોએ, તેમણે જરૂર પડ્યે બધી શક્ય મદદ કરી છે.
અક્ષયને પણ થયો હતો કોરોના
અક્ષયને ખુદ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, પરંતુ હવે તે સ્વસ્થ થતાં હોસ્પિટલથી ઘરે પરત આવ્યો છે. તેની પત્ની અને લેખક ટ્વિંકલ ખન્નાએ આ પોસ્ટ શેર કરી છે અને આ વિશે માહિતી આપી છે.
દેશમાં આજે કોરોનાના 3.40 લાખથી વધુ નવા કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ આવ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના છે જેના કારણે ચિંતા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી શનિવારે કહેવાયું છે કે કોરોનાના દૈનિક નવા કેસમાં 74.15 ટકાનો વધારો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને પ.બંગાળ સહિતના રાજ્યોમાં સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.