દેશમાં ફેલાયેલી મહામારી વચ્ચે એક જાહેરાતની શૂટિંગ કરવા બદલ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ચર્ચામાં આવી ગયો હતો. જોકે, અક્ષયે મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈનને ફોલો કરતા શૂટિંગ કર્યું હતું. ત્યારે આ જાહેરાતમાં અક્ષય સરકાર દ્વારા જારી કરાયેલી સાવધાનીઓ સાથે લોકોને કામ પર પરત ફરવા માટે જાગરૂક કરી રહ્યો છે. અક્ષય કુમાર સ્વચ્છ ભારત અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી સરકારી જાહેરાત માટે પણ તેની પસંદગી કરવામાં આવી. હાલમાં જ આ જાહેરાત રિલીઝ કરવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન અક્ષય કુમારે કર્યું હતું શૂટિંગ
એક જાહેરાત માટે સરકારની મંજૂરી સાથે અક્કીએ કર્યું હતું શૂટિંગ
લોકોને જાગરૂક કરતી આ જાહેરાત થઈ રિલીઝ
થોડાં સમય પહેલાં જ લોકડાઉન દરમિયાન બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર કમાલિસ્તાન સ્ટૂડિયોમાં એક જાહેરાતનું શૂટિંગ કરતા જોવા મળ્યો હતો. સરકારના કેમ્પેઈન માટે શૂટ થયેલી આ જાહેરાતનો વીડિયો સામે આવ્યો છે. અક્ષય કુમાર અને દિગ્દર્શક આર બલ્કી દ્વારા નિર્દેશિત આ જાહેરાતથી લોકોને એક ખાસ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તાજેતરમાં પીઆઈબીએ આ જાહેરાતને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.
Our battle with #COVID19 is not over, but we will not be afraid of the virus. We will take all precautions and we are going to move on with our lives
આ જાહેરાતની શરુઆતમાં અક્ષય કુમાર ઘરમાંથી બહાર નીકળે છે ગામના સરપંચ તેને કોરોનાની મહામારી વિશે પૂછે છે. જેના પર અક્ષય જવાબ આપે છે કે,જો મેં સમગ્ર રીતે સાવધાની રાખી તો બીમારી થવાની શક્યતા ઓછી છે. સૌથી મહત્વપૂર્ણ છે આ માસ્ક, હું સમય સમય પર હાથ પણ ધોતો રહીશ, અન્ય વ્યક્તિથી અંતર જાળવીશ, પોતાને અને બીજાને તેમ જ પરિવારને સુરક્ષિત રાખીશ. જ્યારે દેશના મેડિકલ અને સ્વચ્છતા કર્મચારી રોજ કોરોના વાયરસ સામે લડવાનું કામ કરે છે તો આપણી પણ જવાબદારી બને છે પોતાનું કામ કરવાની.
ઉલ્લેખનીય છે કે, આ જાહેરાતનું શૂટિંગ સરકારની મંજૂરીથી કરવામાં આવ્યું હતું. શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં બધાંએ માસ્ક પહેરી રાખ્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું હતું.