કોલકત્તામાં ચૂંટણી પ્રચારમાં રેલીનો ભાગ બનવાની વાતને અક્ષય કુમારે અફવા ગણાવી કહ્યું કે આ હું પોતે આ વાતથી આશ્ચર્ય અનુભવું છું.
અક્ષય કુમારને લઈને કોલકત્તામાં અફવા
ચૂંટણી પ્રચારમાં રેલીનો ભાગ બનવાની અફવા
અક્ષય કુમારે રેલીનો ભાગ બનવાની વાતને નકારી
હાલમાં અફવા ફેલાવવા લાગી છે કે અક્ષય કુમાર કોલકત્તામાં છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે અહીં પહોંચ્યા છે અને રેલીનો ભાગ બનશે. પરંતુ હાલમાં જ એક્ટરે આ વાતને નકારી છે અને કહ્યું કે આ અફવાઓથી હું પોતે આશ્ચર્યમાં છું.
એક્ટર અક્ષય કુમાર અત્યારે મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત છે
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર વર્ક ફ્રન્ટમાં ખૂબ બિઝી રહે છે. એક્ટરની પાસે અત્યારે પણ અડધા ડઝનથી વધારે ફિલ્મો રહે છે. આ સમયે તેઓ મુંબઈમાં છે અને શૂટિંગમાં વ્યસ્ત છે. પણ ન જાણે ક્યાથી અફવા ફેલાવવા લાગી કે અક્ષય કુમાર કોલકત્તામાં છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે અહીં પહોંચ્યા છે અને રેલીનો ભાગ બનશે. પરંતુ હાલમાં જ એક્ટરે આ વાતને નકારી છે અને કહ્યું કે આ અફવાઓથી હું પોતે આશ્ચર્યમાં છું.
એક્ટરે કર્યો ખુલાસો
એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ પર વાત કરતાં એક્ટર અક્ષય કુમારે કહ્યું કે કોલકત્તામાં રેલી કરવાની ન્યૂઝ ખોટી છે. તે હાલમાં મુંબઈમાં છે અને શૂટિંગમાં વ્યસ્ત છે. પીએમ મોદીએ રવિવારે કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં રેલીને સંબોધન કર્યું હતું ત્યારે અહીં અફવા ફેલાઈ કે અક્ષય કુમાર પણ કોલકત્તામાં ચૂંટણી પ્રચારમાં સામેલ થશે પણ આવું નથી. આ અફવાનું બજાર છે.
અક્ષય કુમારે વાંચી રામસેતુની સ્ક્રિપ્ટ
અક્ષય કુમારને માટે વર્ષ 2021 ખાસ છે. તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સનો ભાગ છે. તેમની ફિલ્મ સૂર્યવંશી અને બેલ બોટમ આ વર્ષે રીલીઝ થશે. તેમની ફિલ્મ અતંરગી રે પણ આ વર્ષે રીલીઝ થવાની છે. આ સિવાય બચ્ચન પાંડે અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં પણ તે જોવા મળી શકે છે. એક્ટરે પોતાની એક વધુ ફિલ્મની ડિટેલ્સ પણ હાલમાં શેર કરી છે જેમાં તેઓ રામસેતુની કાસ્ટ અને ક્રૂ સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા જોવા મળી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે તેઓ આ ફિલ્મના શૂટિંગને લઈને ઉત્સુક છે.