મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે એક રેલી દરમિયાન ફિલ્મ અભિનેતા અક્ષય કુમારના સિનેમા તેમજ તેની કેનેડાની સિટીઝનશીપ પર જોરદાર ટીકા કરી હતી.
અત્યાર સુધી રાખેલ મૌન રાખેલ અક્ષય કુમારે આ મુદ્દા પર પોતાનું મૌન તોડયું હતું અને કહ્યું હતું કે 'મને તેમની ટીકા પ્રત્યે બિલકુલ ખરાબ લાગ્યૂં નથી. લોકતત્રે દરેક વ્યક્તિને ફાવે તેમ બોલવાનો અધિકાર આપ્યો છે'.
તાજેતરમાં મુંબઈના એક કાર્યક્રમમાં સામેલ થયેલ અભિનેતા અક્ષય કુમારને જ્યારે પૂછવામાં આવ્યું કે રાજ ઠાકરે તમારી કેનેડાની નાગરિક્તાના મુદ્દે જોરદાર ટીકા કરી છે એના ઉપર તમારી શું પ્રતિક્રિયા છે? આ સવાલના જવાબમાં અક્ષય કુમારે કહ્યું કે 'મને આ ટીકાથી બિલકુલ ખરાબ લાગ્યું નથી. અને આપનો દેશ લોકતંત્ર છે જેથી લોકતંત્રમાં દરેકને ગમે તેમ બોલવાનો અધિકાર છે'.
અક્ષય કુમારને રાજકારણમાં પ્રવેશ કરવા બાબતે સવાલ પુછતા અભિનેતાએ જણાવ્યું હતું કે 'હું રાજકારણમાં આવું તો પૂર્ણ સમય ફાળવવો જરૂરી છે. અત્યારે મારે મારા ચાહકો માટે સારા સિનેમાઓ બનાવવા છે'.
અભિનેતાએ કહ્યું કે બોક્સ ઓફિસ ઉપર હિટ થનારા સિનેમા હું સહેલાઈથી બનાવી શકું છું પરંતુ સારા સંદેશ આપવાવાળા સિનેમા તરફ મોટો ઝુકાવ છે. અને રાજકારણમાં જવાનો મારો હાલ કોઈ વિચાર નથી. અને મહારાષ્ટ્ર વિષે સ્પષ્ટ કબુલાત કરતા અક્ષય કુમારે જણાવ્યું કે મહારાષ્ટ્રે મારુ ઘડતર કર્યું છે અને હાલ હું જે છું એ મહારાષ્ટ્રના કારણે જ છું