અક્ષય કુમાર હાલમાં કલકત્તામાં આગામી ફિલ્મ 'રક્ષા બંધન'નું પ્રમોશન કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે 'બૉયકોટ રક્ષાબંધન' ટ્રેન્ડ પર પ્રતિક્રિયા આપી.
અક્ષય કુમાર કલકત્તામાં કરી રહ્યો છે પ્રમોશન
રક્ષા બંધનનું પ્રમોશન કરી રહ્યો છે અક્ષય
ફિલ્મની બૉયકોટની માંગ પર આપી પ્રતિક્રિયા
સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'રક્ષા બંધન'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને લઈને હોબાળો મચી ગયો છે. 'રક્ષા બંધન'ને લઈને વિવાદ ઊભો થયો હતો અને હવે તેને બૉયકોટ કરવાની માંગ ઉઠી છે. #BoycottRakshaBandhan સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં હવે અક્ષય કુમારે આના પર પ્રતિક્રિયા આપતા હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. ખિલાડી કુમાર કહે છે કે ફિલ્મો ભારતની અર્થવ્યવસ્થાને મદદ કરે છે, તેથી તેમની સાથે આવું ન કરવું જોઈએ.
અક્ષય કુમારે કહી આ વાત
અક્ષય કુમાર હાલમાં જ કોલકાતામાં આગામી ફિલ્મ 'રક્ષા બંધન'નું પ્રમોશન કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે 'બૉયકોટ રક્ષાબંધન' ટ્રેન્ડ પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ભારત એક આઝાદ દેશ છે, જ્યાં કોઈપણ જે ઈચ્છે તે કરી શકે છે.
અક્ષય કુમારે કહ્યું, "જેમ કે મેં હમણાં જ કહ્યું કે આ એક ફ્રી કંટ્રી છે અને દરેક વ્યક્તિ જે ઈચ્છે તે કરી શકે છે, પરંતુ આ બધું ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આપણે બધા સૌથી મોટો અને મહાન દેશ બનવાના આરે છીએ. હું તેમને વિનંતી કરું છું કે ટ્રોલ કરનારાઓ અને તમે મીડિયા તેમાં ન પડો."
અક્ષય કરી રહ્યો છે ફિલ્મનું પ્રમોશન
અક્ષય કુમાર આ શુક્રવારે 11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેની ફિલ્મનું સમગ્ર દેશમાં પ્રમોશન કરી રહ્યો છે. કોલકાતા બાદ અભિનેતા અને તેની ટીમ સાથે સાદિયા ખતીબ, સ્મૃતિ શ્રીકાંત, દીપિકા ખન્ના અને સહજમીન કૌર પણ લખનૌ ગયા હતા અને હવે દિલ્હી પણ જશે.
સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતા અક્ષયે કહ્યું કે ટીમ રક્ષાબંધન કોલકાતા, પછી લખનૌઉ અને પછી દિલ્હી જવા રવાના થશે. ઈમાનદારીથી ફિલ્મ નિર્માણ એક સરળ કાર્ય છે, પરંતુ પ્રમોશન ખૂબ જ અઘરૂ કામ છે.