વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના દ્વાર આજથી ફરીથી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે મંદિરને 24 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. આ પછી આજે લગભગ સાડા 6 મહિના બાદ મંદિર ખોલવામાં આવ્યું છે. મંદિરમાં પ્રવેશ પહેલાં લોકોએ કેટલીક ખાસ શરતોનું પાલન કરવાનું રહેશે નહીં તો તેમને એન્ટ્રી મળશે નહીં. આ સાથે જ મંદિરના સમયમાં પણ થોડા ઘણા ફેરફાર કરાયા છે.
લોકડાઉન બાદ આજે ખૂલશે અક્ષરધામ મંદિર
મંદિરના સમયમાં સુરક્ષાને લઈને કરાયા ફેરફાર
કોરોનાને ધ્યાનમાં રાખીને ખાસ નિયમોનું કરાશે પાલન
મંદિરમાં પ્રવેશ માટે માનવાની રહેશે આ શરત
અક્ષરધામ મંદિરના દ્વાર આજે સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. પરંતુ કેટલાક નવા નિયમો અને શરતો પણ રાખવામાં આવી છે. જે લોકો મંદિરમાં જવાના હશે તેઓએ માસ્ક પહેરવું પડશે, સાથે જ પોતાને સેનેટાઈઝ પણ કરવાના રહેશે. નવા નિયમ સાથે શ્રદ્ધાળુઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગને પણ મહત્વ આપવાનું રહેશે. આ સિવાય એન્ટ્રી ગેટ પર થર્મલ સ્ક્રીનિંગને મહત્વ અપાશે. કોરોના સંક્રમણ ફેલાવતું રોકવા માટે સુરક્ષાના ઉપાય અપનાવાશે. જેથી લોકો સંક્રમણથી સુરક્ષિત રહી શકે.
બદલાયા છે સમય
કોરોના સંક્રમણથી બચવાના ઉપાયોની સાથે અક્ષરધામ મંદિરમાં પ્રવેશનો સમય બદલાયો છે. જાણકારી અનુસાર શ્રદ્ધાળુઓને સાંજે 5 વાગ્યાથી 6.30 સુધી મંદિરમાં પ્રવેશ મળશે. આ પછી 8.15 મિનિચટે મંદિર બંધ કરી દેવાશે. એટલે કે નક્કી સમયમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓએ બહાર આવવાનું રહેશે. શ્રદ્ધાળુઓના પ્રિય વોટર શોને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે આજથી શરૂ કરાશે. ઝાખી, પ્રદર્શની અને અભિષેક મંડપને હાલમાં બંધ રખાશે.