અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમથી પાકિસ્તાનને 10 વિકેટે મળેલી મોટી હારને પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પચાવી નથી શકી રહ્યા. આ હાર પછી તેમણે BCCI અને ભારતીય ટીમને ખૂબ પ્રશંસા કરી અને બીજી બાજુ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB)નો ઉધડો લઈ લીધો હતો. તેમણે કહ્યું કે, પીસીબી મોટા ખેલાડીઓને કોચ બનવાની ઓફર કરે છે તો તેમના પેમેન્ટને લઈને માથાકૂટ કરે છે. જેના કારણે કોઈ મોટો ખેલાડી તેમની સાથે જોડાતો નથી.
અંડર-19માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું
હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે આપી આવી પ્રતિક્રિયા
રાવલપિંડી એક્સપ્રેસ નામથી ફેમસ શોએબ અખ્તરે પોતાના યુટ્યૂબ ચેનલ પર સાઉથ અફ્રીકામાં શર્મનાક હાર પછી અંડર-19 ટીમને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું, તમે સેમિફાઈનલમાં પહોંચ્યા હતા. ભારતથી હારી ગયા, ભારતે સારું પ્રદર્શન કર્યુ હતું. તમે નિરાશ ન થાઓ. આ અંડર-19 ક્રિકેટ છે. તમારે નિષ્ફળતાઓથી શીખવાની જરૂર છે. આ જીવનમાં મળતી તકો છે.
પીસીબી કોચ માટે કરે છે ભાવતાલ
શોએબે બોર્ડનો ઉધડો લેતા કહ્યું, તેમની પાસે સારો કોચિંગ સ્ટાફ છે. મોટું નામ છે પરંતુ પાકિસ્તાનમાં યૂનિસને કોચે ઓફર તો આપી પરંતુ પૈસા આપવામાં ભાવતાલ કરવા લાગે છે. 15 લાખ નહીં પણ 13 લાખ લઈ લો. બોર્ડ સ્ટાર પ્લેયર્સ સાથે આવો વ્યવહાર કરે છે. બોર્ડ પાસે મોહમ્મદ યૂસુફ છે, યૂનિસ ખાન છે, હું છું, અમે પણ મદદ માટે તૈયાર છીએ.
શોએબે પાક. ટીમની ખામી જણાવતા કહ્યું, ટીમે બહુ જ ખરાબ ફીલ્ડિંગ કરી છે. ભારતને જુઓ કેવું જોરદાર પર્ફોમન્સ કર્યું છે. તેઓ જીતના હકદાર છે. તેઓ ફાઈનલમાં રમવાનું ડિઝર્વ કરે છે. તેમના ખેલાડીઓએ સંઘર્ષ સાથે અહીં સુધીનું સફર ખેડ્યું છે. વિનિંગ સેન્ચુરી લગાવનાર યશસ્વી જયસવાલ ગામડાથી મુંબઈ આવ્યો હતો. પણ આજે મહેનતે તેને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો છે.