નાગરિકતા કાયદાને લઇને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે જો નાગરિકતા કાયદાને લઇને કેન્દ્ર સરકાર નહીં માને તો આવનારા સમયમાં દેશમાં 'મહાભારત' થશે. અખિલેશ યાદવે કહ્યું કે, આ કાયદાના વિરોધમાં અમે પહેલા પણ હતા અને આજે પણ છીએ.
સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકારને ચેતવણી આપી
અખિલેશ યાદવે કહ્યું, આ કાયદાના વિરોધમાં અમે પહેલા પણ હતા અને આજે પણ છીએ
અખિલેશ યાદવે કહ્યું, સામાન્ય જનતા આ કાયદાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી રહી છે
અખિલેશ યાદવે અમિત શાહના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી જેમા તેઓએ સીએએ (CAA) પર એક ઇંચ પણ પાછળ નહીં હટવાની વાત કહી હતી. અખિલેશ યાદવે તેના પર કહ્યું કે, આપે મહાભારત વાંચી છે? તેમા ક્યારેક કહેવામાં આવ્યું હતું કે સોઇ બરાબર પણ જમીન નહીં આપીએ. તેના બાદ શું થયું? CAA પર જો સરકાર નહીં માની તો મહાભારત થશે.
અખિલેશ યાદવે કહ્યું કે લોકસભામાં મોદી સરકારે આ કાયદાના વિરોધમાં વિપક્ષની વાત નથી સાંભળી અને ન માની આ જ કારણ છે કે આજે સામાન્ય જનતા આ કાયદાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી રહી છે.
નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં થયેલી હિંસા માટે રાજ્યની યોગી સરકારને જવાબદાર ઠેરવતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રવિવારે કહ્યું હતું કે, સરકારના ઇશારા પર જાણી જોઇને આગજંપી અને હિંસા કરવામાં આવી જેથી જનતાને ડરાવી શકાય.