વિકાસ દૂબે એન્કાઉન્ટર મામલા પર ફરી રાજકારણ ગરમાયુ છે. તેના એન્કાઉન્ટરને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે દિગ્પ્રિવિજય સિંહ સહિત પ્રિયંકા ગાંધી, જયંત ચૌધરી અને અખિલેશ યાદવે ટ્વીટ કરી યુપી સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે કાર નથી પલટી, પણ...
અખિલેશ યાદવનો યોગી સરકાર પર પ્રહાર
કાર નથી પલટી,સરકાર પલટતા બચાવવામાં આવી: અખિલેશ
રહસ્ય ખુલવાથી સરકાર પલટાતા બચાવવામાં આવી છે: અખિલેશ
ગેંગસ્ટર વિકાસ દૂબેનું કાનપુરમાં એન્કાઉન્ટર કરી દેવાયું છે. ત્યારે વિકાસ દૂબે એન્કાઉન્ટર મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કરી કહ્યું કે આ કાર નથી પલટી, રાઝ ખુલવાથી સરકાર પલટતા બચી ગઇ છે. જેને પગલે રાજકારણ ગરમાયું છે.
दरअसल ये कार नहीं पलटी है, राज़ खुलने से सरकार पलटने से बचाई गयी है.
अपराधी का अंत हो गया, अपराध और उसको सरंक्षण देने वाले लोगों का क्या?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 10, 2020
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ કહ્યુ કે ‘ગુનેગારનો અંત થઈ ગયો, અપરાધ અને તેને રક્ષણ આપનારા લોકોનું શું’
ભાજપના ઠોક દો રાજમાં અદાલતની જરુર નહીં
રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેની મોત બાદ કહ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ દેશના તમામ ન્યાયાધીશોએ રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના ઠોક દો શાસનમાં અદાલતોની જરુર નથી.
મહાકાલમાં આત્મસમર્પણ કેમ કર્યુઃ દિગ્વિજય સિંહ
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે એ જાણવુ જરુરી છે કે વિકાસ દુબેએ મધ્ય પ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં આત્મસમર્પણ માટે કેમ પસંદ કર્યુ? મધ્ય પ્રદેશના કયા પ્રભાવશાળી વ્યક્તિના ભરોસા પર કે પછી ઉત્તર પ્રદેશની પોલીસના એન્કાઉન્ટરથી બચવા માટે આવ્યો હતો?
ઉલ્લેખનીય છે કે 8 પોલીસકર્મચારીઓની હત્યા કરનાર વિકાસ દુબે ગત અઠવાડિયે આમ તેમ છુપાતો ફરતો હતો. ગુરુવારે સવારે તેની ઉજ્જેનથી ધરપકડ થયાના સમાચાર આવ્યા હતા. તે સવારે મહાકાલના દર્શન કરવા મંદિર પહોંચ્યો હતો. જ્યાં ગાર્ડે તેને ઓળખી લીધો હતો. માહિતી કન્ફોર્મ કર્યા બાદ તેણે પોલીસને જાણ કરી હતી . એ બાદ ઉજ્જૈન પોલીસે તેની ધરપકડ કરી હતી.
તેને ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહ્યા હતા. ઉજ્જૈનથી વિકાસ દુબેને લઈને કાનપુર જઈ રહેલા પોલીસના કાફલાની એક કારને અકસ્માત થયો હતો તેવા અહેવાલ પ્રાપ્ત થયા. જેમાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ હતી કે આ કારમાં વિકાસ દુબે પણ સવાર હતો. જે કારને અકસ્માત થયો હતો. કાર રોડની સાઈડમાં પલટી ગઈ હતી. પોલીસનું માનીએ તો કેટલાક પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે.
અકસ્માત બાદ વિકાસ દુબે પોલીસની પિસ્તોલ લઈને ફરાર થવાના પ્રયાસમાં હતો. આ દરમિયાન પોલીસ અને વિકાસ દુબે વચ્ચે ફાયરિંગ પણ થયું. આ દરમિયાન એન્કાઉન્ટરમાં વિકાસ દુબેને કમરમાં ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરોએ વિકાસ દૂબેને મૃત જાહેર કર્યો.