પીએમ મોદીના કાશી પ્રવાસને લઈને વિપક્ષી નેતાઓ પ્રહાર કરી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના નિવેદન પર મોટો વિવાદ ઊભો થયો છે.
પીએમ મોદીના કાશી પ્રવાસ વચ્ચે વિવાદ
અખિલેશ યાદવના નિવેદન સામે ભાજપમાં રોષ
અંતિમ સમયમાં બનારસમાં જ રહેવું જોઈએ: અખિલેશ યાદવ
યાદવે વિવાદનો મધપૂડો છેડ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે કાશીના પ્રવાસે પહોંચ્યા છે, એક બાદ એક અનેક કાર્યક્રમોને લઈને પીએમ મોદીની ચર્ચા થઈ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એવું વિવાદિત નિવેદન આપ્યું છે કે સોશ્યલ મીડિયામાં લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.
सोच ईमानदार और काम दमदार हो तो फ़ीता काटने वाले विचलित हो ही जाते हैं।
सनातन सभ्यता,देश, और काशी को जो आज प्रधानमंत्री @narendramodi ने सौग़ात दी है, प्रदेश और देश में जो आज मोदी जी के लिए अपार श्रद्धा दिखाई दी है, जिन्नावादी उससे बौखला कर अमर्यादित बयान दे रहे हैं।
શું કહ્યું હતું
કાશી મુદ્દે અખિલેશ યાદવે કહ્યું હતું કે પીએમ મોદી એકાદ મહિનો ત્યાં જ રોકાઈ જાય, બે ત્રણ મહિના રહો. બહુ સારી વાત છે. અંતિમ સમયમાં બનારસમાં રહેવામાં આવે છે.
ભાજપ નેતાઓ રોષે ભરાયા
ભાજપ નેતાઓ આ નિવેદન પર ગુસ્સે ભરાયા હતા. આ પ્રકારનાં નિવેદનને હલકા ગણાવવામાં આવ્યા અને કહ્યું કે જે પ્રકારે કાશીનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે તે અખિલેશ યાદવ જોઈ નથી શકતા. યુપીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે આવી સંસ્કાર વગર વાતો બતાવે છે કે આશીને લઈને તેમના મનમાં કેવી ખીજ છે. તેઓ ઔરંગઝેબની વિચારધારાના છે, ભગવાન ભોલેનાથ તેમને સદબુદ્ધિ આપે.
औरंगज़ेब संस्कृति का परिचय देना Jinnah प्रेमियों के लिए लाज़मी है।
जो अपने पिता तक का सम्मान नहीं कर पाए ऐसे औरंगज़ेब-जीवी से क्या उम्मीद की जाए? https://t.co/CLdKnRddHq
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ અખિલેશ યાદવને ઔરંગઝેબ કહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અખિલેશ યાદવને જિન્નાવાદી કહીને કટાક્ષ કર્યો. ભાજપ પ્રવક્તા શાહજાદે કહ્યું કે જે માણસ પોતાના પિતાનું સન્માન ન કરી શક્યો તેનાથી શું આશા કરી શકાય?
પ્રધાનમંત્રી મોદી અચાનક ગલીઓમાં નીકળી પડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલથી યુપીના કાશીના પ્રવાસ પર છે, કાશીમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા આખો દિવસ અધ્યાત્મમાં પીએમ મોદી લીન રહ્યા. ગંગા આરતી બાદ અડધી રાતે અચાનક પીએમ મોદી ફરીથી કાશીની ગલીઓમાં નીકળી પડ્યા હતા. સીએમ યોગી પણ સાથે હતા, પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામ પર સમીક્ષા કરી
સોમવારે રાતે બનારસ રેલવે સ્ટેશન પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે નેક્સ્ટ સ્ટેશન બનારસ. આ સિવાય પીએમ મોદીએ ફરીથી કોરિડોરનો પણ પ્રવાસ કર્યો અને ચાલી રહેલા કામ પર નજર નાંખી. મોડી રાતે પીએમ મોદીએ તસવીરો શેર કરી હતી.