લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી ગયું છે. બસપા પ્રમુખ માયાવતીનાં એલાન બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાનો રસ્તો અલગ કરવાનો સંકેત આપ્યો છે. જ્યારે માયાવતીએ પણ આજે પ્રેસ કોન્ફરકન્સ કરીને જાહેરાત કરી હતી કે બસપા વિધાનસભા ચૂંટણી એકલી લડશે.
પરસ્પર ગઠબંધનને હાલમાં 'હોલ્ડ' પર રાખવાનાં બસપા પ્રમુખ માયાવતીનાં એલાન બાદ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાનો રસ્તો અલગ કરવાનો સંકેત આપ્યો છે. ગાજીપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં ચૂંટણી પોતાનાં દમ પર લડવાની વાત કરી. આ પહેલા માયાવતીએ સપાને અલગ ચૂંટણી લડવાની વાત કહી હતી. સપા મુખિયા અને આઝમગઢથી સાંસદ અખિલેશ યાદવે જણાવ્યું કે, 2022માં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. આ સાથે જ તેઓએ યૂપીમાં યોજાનારા ચૂંટણીમાં એકલા ચૂંટણી લડવાનું કહ્યું છે.
લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી ગયું છે. આ અંગેની જો કે પુષ્ટી નથી થઇ પરંતુ અખિલેશ યાદવ અને માયાવતીનાં નિવેદન બાદ એ વાત તો ચોક્કસ સ્પષ્ટ થઇ ગઇ છે કે ગઠબંધનમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. માયાવતીએ યોજેલી પત્રકાર પરિષદ જણાવ્યું કે, 'સમાજવાદી પાર્ટીનાં મતો તેમની સાથે રહ્યાં નહીં. સમાજવાદી પાર્ટી યાદવ મતદારોની બેઠક પર પણ હારી ગયું. કન્નોજમાં ડિમ્પલ યાદવ અને ફિરોઝબાદમાં અક્ષય યાદવની હાર બાદ અમને ઘણું બધુ વિચારવા પર મજબૂર કરે છે. માયાવતીએ કહ્યું કે બસપા અને સપાનાં પ્રાથમિક મત જોડાયા બાદ ઉમેદવારોની હાર થવી જોઇતી ન હોતી.'
અખિલેશે કહ્યું કે, 'જો ગઠબંધન ટૂટ્યું છે અને જે વાતો કહેવામાં આવી છે....હું એનાં પર ખૂબ જ સમજીને વિચાર કરીશ. જ્યારે ચૂંટણીમાં ગઠબંધન છે જ નહીં, તો સપા પણ 11 સીટોં પર વિચારવિમર્શ કરીને એકલી ચૂંટણી લડશે. જો રસ્તાઓ અલગ-અલગ છે તેનું પણ સ્વાગત છે.'
આ પહેલા માયાવતીએ આજે પ્રેસ કોન્ફરકન્સ કરી અને જાહેરાત કરી કે બસપા વિધાનસભા ચૂંટણી એકલી લડશે. જો કે, તેઓએ ગઠબંધન જારી રાખવા માટે શરતો જોડી દીધી છે. માયાવતીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં સપાનો વોટ બસપાને ટ્રાન્સફર નથી થયો.
એ જ કારણ છે કે યાદવ પરિવારનાં ડિમ્પલ, ધર્મેન્દ્ર અને અક્ષય પણ ચૂંટણી હારી ગયા. તેઓએ કહ્યું કે, બસપા એક મિશનરી, અનુશાસિત અને કૈડર આધારિત પાર્ટી છે. જ્યારે સપામાં અત્યારે ખૂબ જ સુધારાની જરૂરિયાત છે. માયાવતીએ કહ્યું કે, અખિલેશ પોતાનાં કાર્યકર્તાઓને મશીનરી ના બનાવે.
માયાવતીએ કહ્યું કે, જો કે, અમે રાજનીતિક મજબૂરીઓને નજરઅંદાજ ના કરી શકીએ. જેથી અમે એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે, ગઠબંધન હંમેશા માટે સમાપ્ત નથી થઇ રહ્યું.