બસપાના સુપ્રીમો માયાવતી ભલે ગેસ્ટ હાઉસકાંડની કડવી યાદોને ભૂલાવીને યુપીમાંમાં સપા સાથે હોય. પરંતુ પ્રધાનમંત્રી બનવાના તેમના સપનાને પૂરા કરવામાં અખિલેશ યાદવ સાથ આપશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. અખિલેશને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે ગોળગોળ જવાબ આપ્યો અને કહ્યું કે, તેના પર નિર્ણય 23મી મે બાદ આવશે.
માયાવતીએ સોમવારે ઇશારા-ઇશારામાં પીએમ બનવાની પોતાની ઇચ્છા ફરીથી દેખાડી હતી. તેમણે આંબેડકરનગરમાં પ્રચાર દરમ્યાન કહ્યું કે, જો તેમને દિલ્હી જવાનો મોકો મળશે તો તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે.
જો કે આંબેડકરનગર માયાવતીની જૂની બેઠક છે. માયાવતી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. માયાવતીના આ નિવેદન પર અખિલેશ યાદવને પ્રશ્ન પૂછાયો હતો. કે જો માયાને પીએમ બનવાનો ચાન્સ મળે છે, તો શું તમે તેમને સમર્થન આપશો? તેના પર અખિલેશ યાદવે પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો.
પછી તેમણે કહ્યું કે, તેના પર 23મીમેના રોજ નિર્ણય થશે અને જે પણ થશે તેને સમાજવાદી પાર્ટી અને બસપાનું ગઠબંધન મળીને નક્કી કરશે. અખિલેશે કહ્યું કે તેઓ ઉત્તરપ્રદેશથી કોને પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે. તેના પર તેમને પ્રશ્ન કર્યો કે શું વારાણસીથી કોઇને બનતા જોવા માગશે? તેના પર અખિલેશે કહ્યું કે, ના બનારસવાળાને બનાવવા જોઇએ નહીં, કારણ કે તેમને દેશને ખૂબ જ નુકસાન કરાવ્યું છે.
લોકસભા ચૂંટણી 2019મા સમાજવાદી પાર્ટી, બહુજનસમાજ પાર્ટી, અને રાષ્ટ્રીય લોક દળ મળીને ચૂંટણી લડી રહ્યાં છે. તેમાં સપાને 37, બસપાને 38 અને આરએલડીને 3 સીટો મળી છે. જો કે માયાવતી આ તમામ બેઠકો પર પ્રચાર કરતી હોવાથી પોતે ચૂંટણી લડ્યા નથી. હવે તેમને પ્રધાનમંત્રી બનવાની વાત આવી તો સૌથી પહેલા ગઠબંધન કરેલી સપાએ જ પગ કાપવાનું શરૂ કર્યું હોય તેવું નિવેદન આપતા ભાજપ આ મામલે રાજકારણ શરૂ કર્યું છે.