ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ કોરોના પોઝિટિવ થયા છે.
પૂર્વ CM અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ
અખિલેશ યાદવે પોતાને આઈસોલેટ કર્યા
અખિલેશ યાદવે હરિદ્વારમાં કુંભમાં ભાગ લીધો હતો
અખિલેશ યાદવે પોતાને આઈસોલેટ કર્યા
અખિલેશ યાદવે બુધવારે સવારે ટ્વીટ કરી આની જાણકારી આપી છે. પોઝિટિવ આવ્યા બાદ અખિલેશ યાદવે પોતાને આઈસોલેટ કર્યા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરી જાણકારી આપી કે હમણા હમણા મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે પોતાને બધાથી અલગ કરી દીધો છે તથા ઘરે જ સારવાર શરુ કરી છે. તથા ઘરે જ સારવાર શરુ થઈ ગઈ છે. ગત કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેમને વિનમ્ર આગ્રહ છે કે તે પોતાનો ટેસ્ટ કરાવી લે. તે બધાને થોડાક દિવસો માટે આઈસોલેશનમાં કહેવાની વિનંતી કરી છે.
अभी-अभी मेरी कोरोना टेस्ट की रिपोर्ट पॉज़िटिव आई है। मैंने अपने आपको सबसे अलग कर लिया है व घर पर ही उपचार शुरू हो गया है।
पिछले कुछ दिनों में जो लोग मेरे संपर्क में आये हैं, उन सबसे विनम्र आग्रह है कि वो भी जाँच करा लें। उन सभी से कुछ दिनों तक आइसोलेशन में रहने की विनती भी है।
ઉલ્લેખનીય છે કે હાલમાં અખિલેશ યાદવે ઉત્તરાખંડના હરિદ્વારમાં જારી કુંભમાં ભાગ લીધો હતો. અહીં તેમણે પોતાના સમર્થકો અને અનેક સાધુ-સંતોની મુલાકાત કરી હતી.
અખિલેશે મહંત નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી
હરિદ્વારમાં જ અખિલેશ યાદવની એક બેદરકારી સામે આવી હતી. તેમણે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ મહારાજની મુલાકાત લીધી હતી, જ્યારે નરેન્દ્ર ગિરિ પોઝિટિવ હતા. હવે બે દિવસ બાદ અખિલેશ યાદવ પોતે કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે પછીથી એવું સામે આવ્યુ હતુ કે અખિલેશ યાદવ નરેન્દ્ર ગિકિ મહારાજને સવારે મળ્યા હતા અને તે સાંજે પોઝિટિવ આવ્યા હતા.
લખનૌની સ્થિતિ ન સુધરે તો લોકડાઉન કરવુ પડી શકે
ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં 18 હજારની આસપાસ નવા મામલા સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે રેકોર્ડ નોંધાવનારા છે. જો લખનૌની વાત કરીએ તો 5 હજારથી વધારે મામલા સામે આવ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ છે કે લખનૌમાં બેડ નથી મળી રહ્યા. સ્મશાનમાં લાઈન લાગી છે. યુપી સરકારના મંત્રી બ્રુજેશ પાઠકે ચેતવ્યા હતા કે જો લખનૌની સ્થિતિ ન સુધરે તો લોકડાઉન કરવુ પડી શકે છે.