અખિલેશ યાદવે અયોધ્યામાં નિવેદન આપતા કહ્યું કે, 'અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મુકો, પીપળાના ઝાડ નીચે એક લાલ ઝંડો લગાવી દો અને મંદિર બની જાય.'
સર્વે રિપોર્ટ લીક થવા પર અખિલેશ યાદવનો સવાલ
અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મૂકો, મંદિર બની જાય: અખિલેશ
ભાજપ કંઇ પણ કરી શકે, ભાજપ કંઇ પણ કરાવી શકે: અખિલેશ
સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે, અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મુકો, પીપળાના ઝાડ નીચે એક લાલ ઝંડો લગાવી દો અને મંદિર બની જાય.
સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે અયોધ્યામાં હિન્દુ દેવી-દેવતાઓને લઈને આ પ્રકારનું નિવેદન આપ્યું છે, જેના પર વિવાદ થઈ શકે છે. જ્ઞાનવાપી મસ્જિદને લઈને 1991માં સંસદે પસાર કરેલા કાયદાનો ઉલ્લેખ કરીને અને સર્વે રિપોર્ટ લીક થવા પર સવાલ ઉઠાવતા અખિલેશ યાદવે ડાયરેક્ટ હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને દેવી-દેવતાઓને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું.
અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મૂકો, મંદિર બની ગયું
સિદ્ધાર્થનગરની લખનઉ પરત ફરતી વખતે અખિલેશ યાદવ થોડાંક સમય માટે અયોધ્યામાં રોકાયા. આ દરમ્યાન પત્રકારો સાથે વાત કરતી વેળાએ તેઓએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, 'અમારા હિન્દુ ધર્મમાં ક્યાંય પણ પથ્થર મૂકો, પીપળાના ઝાડ નીચે એક લાલ ઝંડો લગાવી દો અને મંદિર બની જાય.'
એક સમય હતો કે જ્યારે રાતના અંધારામાં મૂર્તિઓ રાખવામાં આવતી
અખિલેશ યાદવે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર સવાલ કરતા કહ્યું કે, 'એક સમય હતો કે જ્યારે રાતના અંધારામાં મૂર્તિઓ રાખવામાં આવતી હતી. ભાજપ કંઈ પણ કરી શકે છે. ભાજપ કંઈ પણ કરાવી શકે છે.'
જ્ઞાનવાપી મસ્જિદના સવાલ પર અખિલેશ યાદવે કહ્યું કે, 'આ કોર્ટનો મામલો છે. સૌથી મોટી વાત તો એ છે કે સર્વે કરવાની જવાબદારી જેમની હતી, આખરે તે રિપોર્ટ કેવી રીતે બહાર આવ્યો. આપણા હિન્દુ ધર્મમાં ગમે ત્યાં પથ્થર મૂકો, પીપળાના ઝાડ નીચે એક લાલ ઝંડો લગાવો અને મંદિર બની જાય. અમે સર્વે નથી કરી રહ્યાં અને ના તો અમે સુપ્રીમ કોર્ટ છીએ.
ભાજપ કંઇ પણ કરી શકે, ભાજપ કંઇ પણ કરાવી શકે
અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું કે, 'અમે એમ કહી રહ્યાં છીએ કે ભાજપથી સાવધાન રહો. ભાજપ જાણીજોઇને જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ઉઠાવી રહી છે. મોટી-મોટી કંપનીઓ વેચી ગઇ
આપણને અને તમને ખ્યાલ પણ ના આવ્યો. એક સમય એવો હતો કે જ્યારે રાતના અંધારામાં મૂર્તિઓ મૂકી દેવામાં આવી હતી. ભાજપ કંઇ પણ કરી શકે છે. ભાજપ કંઇ પણ કરાવી શકે. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઇને અખિલેશ યાદવે સંસદ દ્રારા 1991માં બનાવવામાં આવેલા કાયદાનો હવાલો આપ્યો અને કહ્યું કે, જ્યારે અયોધ્યાનો નિર્ણય આવ્યો હતો. તેમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેઓએ આશા વ્યક્ત કરી છે કે, સુપ્રીમ કોર્ટ આ કાયદા પર ધ્યાન આપે. અખિલેશે જણાવ્યું કે, ભાજપ જાણીજોઇને સત્તા સાથે રમત રમીને આ તમામ નિર્ણયો કરાવી રહી છે.